न.
[ અવ. વી-દઈવ-દાત ]
( જરથોસ્તી ) જરથોસ્તી ધર્મનું એ નામનું એક પુસ્તક. ફારસીમાં તેને જુદ-દિવ-દાદ કહે છે, કારણકે, તેમાં મોટે ભાગે શરીર અને મનની અશુદ્ધિ કરનાર શક્તિઓ સામે અસરકારક રીતે કેમ ટકવું તેના કાયદા, કાનૂન તથા સૂચના આપેલ છે. તેના થોડા ભાગમાં આરોગ્યતાના નિયમો છે તેમ જ તેનો થોડો ભાગ ઈરાનીઓનો ફોજદારી કાયદો જણાવે છે. તેમાં ૨૨ પ્રકરણ છે. વંદીદાદના પ્રકરણને પરગર્દ કે ફરગર્દ કહે છે. અવસ્તાના સાહિત્યનાં ૨૧ પુસ્તકોમાં વંદીદાદ ૧૯મું પુસ્તક છે. વંદીદાદની ક્રિયા કરાવવામાં બે ધર્મગુરુ ભાગ લે છે. ખૂબની ક્રિયા જે ધર્મગુરુએ કરી હોય તે જ આ ક્રિયા કરાવી શકે. તે ઊશહિનગાહમાં એટલે કે મધરાતે બાર વાગ્યા પછી થઈ શકે છે: આ ક્રિયામાં તેના ૨૨ પ્રકરણ જાણવામાં હોય છે. પણ તે ક્રમવાર ભણવામાં આવતાં નથી. વચ્ચે વચ્ચે યસ્ન તથા વિસ્પરદના જુદાં જુદાં પ્રકરણો ઉમેરવામાં આવે છે. આ પ્રમાણે યસ્ન અને વિસ્પરદના અમુક અમુક પ્રકરણ ઉમેરાઈને થયેલું વંદીદાદ સહદ કહેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.