શ્રી ગિજુભાઈ ભરાડ એક આદર્શ કેળવણીકાર – શિક્ષણકાર તથા સંપાદક છે. (જન્મદિન – ૨૦ ઑગસ્ટ, ૧૯૪૦ , નિવાસ – રાજકોટ)
જીવનની ઝરમર
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
મધુર ઉચ્ચારો, સામી વ્યક્તિને સાંભળવું ગમે તેવી ભાષા. શીખવામાં અઘરી, ભાવાત્મક શબ્દભંડોળનો મોટો સમૂહ.
વૈષ્ણવજન તો તેને રે કહીએ…
નવલકથા - મનુભાઈ પંચોળી લિખિત સોક્રેટિસ, ટૂંકી વાર્તા - ધૂમકેતુ લિખિત પોસ્ટઑફિસ
આપણી ભાષા ગુજરાતીને અનુલક્ષીને સંસ્કૃતિ એટલે કે લાગણી, પેમ અને ભાવનાના કુદરતી બીજને મજબૂત કરતી, સારા વિચારો, સખત પરિશ્રમ અને બીજાને ઉપયોગી થવાની આપણી ગુજરાત સંસ્કૃતિ વિશ્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
ફિલ્મ: આપણે તો ધીરુભાઈ, મનગમતા કલાકાર: ઉપેન્દ્ર ત્રિવેદી
નાટક: ભર્તુહરિ
કવિ: રમેશ પારેખ, લેખક: ગુણવંત શાહ, નાટ્યકાર: હસમુખ બારાડી, નવલકથાકાર: રમણલાલ વસંતલાલ દેસાઈ
માણસાઈના દીવા
(1) સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય
(2) આકાશના તારા ગણવા કરતાં, સમુદ્ર કાંઠે છીપલાં વીણવાં સારાં
અમે અમારી શિક્ષણ સંસ્થાનું માધ્યમ માતૃભાષા જ રાખીએ છીએ.
પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. શુદ્ધ માતૃભાષા બોલી શકાય, લખી શકાય તેમજ પ્રવચન કરી શકાય તે માટે શબ્દભંડોળ વધારવાના પ્રયાસો કરવા જોઈએ. ખૂબ જ આંટી ઘૂંટીવાળા વ્યાકરણની ભૂમિકાઓ સરળ બનાવવી જોઈએ. રાજયમાં માતૃભાષા જાણતી બધી જ વ્યક્તિએ પ્રવચનો તથા અન્ય કાર્ય માતૃભાષામાં જ કરવાં જોઈએ. માતૃભાષામાં વધારે સારા, સરળ, સમજી શકાય તેવાં પુસ્તકો તૈયાર કરવાં જોઈએ.
સંસ્થા: (1) ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ, (2) લોકભારતી - સણોસરા
મહાનુભાવ: મનુભાઈ પંચોળી, ડૉ. ગુણવંત શાહ, ડૉ. પંકજ જોષી
પ્રાથમિક શિક્ષણ માત્ર પ્રેમ અને લાગણી દ્વારા, માધ્યમિક શિક્ષણ શિસ્ત અને સમયપાલન માટે તેમજ
ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન તેમજ આવડત માટે વિકસાવો.
લેસ્ટરમાં જવાનું થતાં ત્યાં આપણા ગુજરાતી સમાજ દ્વારા થતાં તમામ કાર્યક્રમના આયોજનો સંપૂર્ણપણે
ગુજરાતીમાં જ થાય છે.
ગુજરાતી સ્પેલચેકર, ગુજરાતી - અંગ્રેજી શબ્દકોશ વિભાગ, અંગ્રેજી - ગુજરાતી શબ્દકોશ વિભાગ
ગુજરાતી શબ્દોની જોડણી આજે મોટાભાગની વ્યક્તિઓ સાચી લખી શકતી નથી. તે માહિતી ગુજરાતીલેક્સિકનમાંથી મળી શકે છે. કોઈ પણ શબ્દના ભાવાર્થ સાથેના એકથી વધારે અર્થો પણ ગુજરાતીલેક્સિકનમાંથી મળી શકે છે.