पुं.
[ સં. ]
( પુરાણ ) રામાયણ અનુસાર એ નામનો એક રાજા. તે કેકય દેશના રાજા સત્યકેતુનો પુત્ર હતો. તુલસીકૃત રામાયણમાં જણાવ્યું છે કે, એક દિવસ રાજા ભાનુપ્રતાપ શિકાર ખેલવા ગયો. તેણે જંગલમાં એક સૂવર જોઈ પોતાના ઘોડાને તેની પાછળ દોડાવ્યો. ગાઢ જંગલમાં જઈને સૂવર ક્યાંક સંતાઈ ગયું અને રાજા જંગલમાં ભટકવા લાગ્યો. તેને તે જંગલમાં એક તપસ્વીનો આશ્રમ જોવામાં આવ્યો. તે તપસ્વી રાજાનો એક દુશ્મન હતો, કારણ કે તેણે તેનું રાજ્ય જીતી લીધું હતું. રાજાએ તેની પાસે પાણી માગ્યું. તપસ્વીએ તેને એક તળાવ બતાવ્યું. રાજાએ ત્યાં જઈ પાણી પીને પોતાની તરસ છિપાવી અને થાક ઉતાર્યો. રાત પડવા આવી હતી તેથી તપસ્વી રાજાને પોતાના આશ્રમમાં લઈ ગયો. રાતને વખતે બંનેએ અરસપરસ વાતોચીતો કરી. તપસ્વીએ કપટથી રાજાને પોતાની મીઠી મીઠી વાતોથી વશ કરી લીધો. ભાનુપ્રતાપ તેની વાતો સાંભળીને તેના ઉપર વિશ્વાસુ રાખી રાતને વખતે તેના આશ્રમમાં જ સૂઈ રહ્યો. તપસ્વીએ પોતાના મિત્ર કાલકેતુ રાક્ષસને બોલાવ્યો. તેણે રાજાને ક્ષણભરમાં ઉપાડીને તેની રાજધાનીમાં પહોંચાડી દીધો અને તેના ઘોડાને ઘોડારમાં બાંધી દીધો. સાથે સાથે તે રાજાના પુરોહિતને પણ ઉપાડીને એક પર્વતની ગુફામાં પૂરી દીધો અને પોતે પુરોહિતનું રૂપ ધારણ કરીને તે સ્થાને સૂઈ રહ્યો સવારે રાજા જાગ્યો, તો તેને મુનિ ઉપર વિશેષ શ્રદ્ધા થઈ. પુરોહિતને બોલાવીને રાજાએ ત્રીજે દિવસે ભોજન બનાવવાની આજ્ઞા આપી અને બ્રાહ્મણોને જમવા આવવાનું આમંત્રણ આપ્યું. કપટી પુરોહિત બીજા માંસ સાથે મનુષ્યનું માંસ પણ રાંધ્યું. જ્યારે બ્રાહ્મણો જમવા માટે બેઠા, ત્યારે રાજા પીરસવા મંડ્યો. એવામાં આકાશવાણી થઇ કે હે બ્રાહ્મણો ! તમે આ અન્ન ખાશો નહિ, કારણ કે તેમાં મનુષ્યનું માંસ છે. બ્રાહ્મણો આકાશવાણી સાંભળીને ઊઠી ગયા અને રાજાને શાપ આપ્યો કે તું સપરિવાર રાક્ષશ થઈશ. કહેવાય છે કે, તે રાજા ભાનુપ્રતાપ મર્યા પછી બીજા જન્મમાં રાવણ થયો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.