न.
[ સં. ]
નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. અહીં નીલકંઠેશ્વર શિવજી, હરિહરેશ્વર, નર્મદામાં એક પથ્થરમાંથી બનેલ ઘાટ અને કુંડ છે. નર્મદા પંચાંગમાં કયાં છે કે: અહીં તપ કરીને સપ્ત ઋષિઓએ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અહીં અગ્નિદેવ સદૈવ સ્થિત રહે છે. પ્રાચીન સમયમાં જયારે મોટા મોટા ઋષિઓએ મળીને અગ્નિદેવની સ્તુતિ કરીને તેને બ્રહ્મરૃપ માન્યા, ત્યારે અગ્નિદેવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે, અહીં યજ્ઞ કરનાર મુક્ત થઈ જશે. પછી બધાએ અગ્રીશ્વરની સ્થાપના કરી. અહીં રહીને અગ્રીશ્વરનું પૂજન કરીને સ્તોત્રપઠન કરનાર ચૌદ જન્મ સુધી અગ્રિભયથી મુક્ત થઈ જાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં