पुं.
[ સં. સરસ્વતી + લેખ ]
સરસ્વતી દેવીએ લખેલ લેખ. શાસ્ત્રીવર્ગમાં એવી દંતકથા ચાલે છે કે, મહાકવિ કાળીદાસ રધુવંશ કાવ્ય રચતા હતા ત્યારે એક રાત્રિ એ પાંચમા સર્ગના ૬૨ શ્લોકો લખ્યા પછી નિદ્રા આવવાથી તેઓ ઊંઘી ગયા. પોતાના ભક્ત ઉપર અનુગ્રહ કરવા સારુ સરસ્વતી દેવી ત્યાં પધાર્યાં અને પાંચમા સર્ગના અધુરા રહેલા એટલે ૬૩ થી ૭૬ સુધી પોતે શ્ર્લકો રચી કાઢી લખી નાખ્યા અને સર્ગ પૂરો કર્યો. પ્રભાતમાં મહાકવિ જુએ છે તો પાંચમો સર્ગ પૂરો થયેલો જોઈ ભારતીદેવીએ આ અનુગ્રહ કર્યો એમ સમજી તેઓ ઘણા પ્રસન્ન થયા. આ ૧૪ શ્લોકો સરસ્વતીલેખ કહેવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.