બનાસકાંઠા જિલ્લો ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, ધાનેરા, ઈકબાલગઢ, લખની, પાલનપુર, કાંકરેજ (શિહોરી), સુઈગામ, થરાદ, વડગામ, વાવ – એમ કુલ 14 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 1249 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 12,703 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 31 લાખથી વધુ છે. 65%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.



જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અત્તર અને હીરાઉદ્યોગ માટે જાણીતું છે. આ જિલ્લો વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે પ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યનું મોટામાં મોટું તીર્થધામ અંબાજી આ જિલ્લામાં આવેલું છે, જ્યાં આરસપહાણની ખાણ છે અને તાંબું પણ ખનિજરૂપે મળે છે. અંબાજી પાસેનાં કુંભારિયાજીના જૈન દેરાં પુરાણી કોતરણી માટે વિખ્યાત છે. પાલનપુર પાસે બાલારામ ઝરણું, મંદિર ને ચંદનના વૃક્ષના જંગલ તેમજ ઉદ્યાન માટે જાણીતું છે. બાલારામમાં ગુજરાતની પ્રખ્યાત હેરીટેજ હોટેલ પણ આવેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનુ કેન્દ્ર છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.