મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે.
સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકેની નિયુક્તિ. આ કાર્યપદ તેઓ ડિસેમ્બર 2011માં ભરાનારા જૂનાગઢ અધિવેશન પછી ગ્રહણ કરશે.
સમાચાર 2 – આ વર્ષના નર્મદ પારિતોષિક વિજેતા છે જાણીતા સંશોધક અને તંત્રી એવા ડૉ. રમેશ શુક્લા અને અગ્રણી મરાઠી કાવ્યકાર શ્રી મંગેહ્સ પદગોંકર. આ પારિતોષિક નર્મદના જન્મદિન દિવસે એટલે કે 24 ઓગષ્ટના રોજ અર્પણ કરવામાં આવશે જે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ પાટકર હોલ મુંબઈમાં યોજાવાનો છે જેની નોંધ લેવી. ગતવર્ષથી જ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ પારિતોષિક ડો. રઘુવીર ચૌધરી અને શ્રી મધુ મંગેશ કાર્નિકને મળેલ હતું.
જય ગુજરાતી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.