3 |
[ સં. ] |
स्त्री. |
કુટુંબ કે જાતિના માણસોનો સમુદાય; એકબીજાની સ્થિતિ જાણનાર એક જ જાતના લોકનો સમૂહ; નાત; જાત; ન્યાત. ઋગ્વેદના શરૂઆતના ભાગમાં એક કુટુંબનાં અને એકજ ઘરમાં રહેતાં માણસો એ અર્થમાં જ જ્ઞાતિ શબ્દ વપરાયો છે. સાધારણ રીતે ઘણી જ્ઞાતિઓનાં નામો મૂળ વતન ઉપરથી પડેલાં છે. જૈન મત પ્રમાણે નીચેની ૮૪ જ્ઞાતિ છે. (૧) શ્રીમાળી, (૨) ઉસવાલ, (૩) વાઘેરવાલ, (૪) ડીંડૂ, (૫) પુષ્કરવાલ, (૬) ડીસાવાલ, (૭) ખેડતવાલ, (૮) ભાભૂ, (૯) સૂરાણા, (૧૦) છત્રવાલ, (૧૧) દોહિત, (૧૨) સોની, (૧૩) ષડવર્ડ, (૧૪) ષંડેરવાલ, (૧૫) પોરૂઆડ, (૧૬) ગૂજર, (૧૭) મોઢ, (૧૮) નાગર, (૧૯) જાલહરા, (૨૦) ષડાઈતા, (૨૧) કપોલ, (૨૨) જાંબૂ, (૨૩) વાપડા, (૨૪) વાવ, (૨૫) દસઉરા, (૨૬) કરહિયા, (૨૭) નાગદ્રહા, (૨૮) મેવાડા, (૨૯) ભટેઉરા, (૩૦) કથરા, (૩૧) નરસિંહઉરા, (૩૨) હારલ, (૩૩) પંચમવંશ, (૩૪) સિરષંડલા, (૩૫) કમોહ, (૩૬) રોતકી, (૩૭) અગરવાલ, (૩૮) જિણાણી, (૩૯) બાંભ, (૪૦) ઘાંઘ, (૪૧) પાલ્હાઉત, (૪૨) ઉચિત, (૪૩) બગડૂ, (૪૪) અહિછત્રવાલ, (૪૫) શ્રીગઉડ, (૪૬) વાલ્મીકિ, (૪૭) ટાકી, (૪૮) તેલટા, (૪૯) તિસઉરા, (૫૦) અઠવગ્રી, (૫૧) લાડીસાખા, (૫૨) બધનઉરા, (૫૩) સુહડવાલ, (૫૪) વીધૂ, (૫૫) પદ્માવતી, (૫૬) નીમા, (૫૭) જેહરાણા, (૫૮) માથુર, (૫૯) ધાકડ, (૬૦) પલ્લીવાલ, (૬૧) હરસઉરા, (૬૨) ચિત્રઉડા, (૬૩) ગોલા, (૬૪) ગહિબરિયા, (૬૫) લોહાણા, (૬૬) ભાટિયા, (૬૭) નાગઉરા, (૬૮) આણંદઉરા, (૬૯) સતલા, (૭૦) કડકોલાપુરા, (૭૧) રાયકવાલ, (૭૨) પેસિયા, (૭૩) પેરૂયા, (૭૪) ગોમિત્રી, (૭૫) નારાયણા, (૭૬) ટીંટૂ, (૭૭) ગજઉડા, (૭૮) ગોષરૂઆ, (૭૯) અજયમેરા, (૮૦) કંડોલિયા, (૮૧) કાયત્થ, (૮૨) સગઉડા, (૮૩) સીહઉરા, (૮૪) જેસવાલના દેવા. નવજીવનમાં આ સંબંધે એવું પણ વિધાન છે કે: જ્ઞાતિને મેં સંયમની વૃદ્ધિને સારૂ મદદગાર તરીકે સ્વીકારી છે. પણ આજકાલ જ્ઞાતિ સંયમરૂપે નથી, પણ બંધનરૂપે જોવામાં આવે છે. સંયમ મનુષ્યોને શોભાવે છે ને સ્વતંત્ર કરે છે, બંધન બેડીરૂપ હોઈ ઝંખવે છે. આજકાલ જ્ઞાતિનો જે અર્થ થાય છે એ કંઈ ઇચ્છવા યોગ્ય કે શાસ્ત્રીય નથી. જે અર્થમાં આજે વપરાય છે તે અર્થમાં જ્ઞાતિ એવો શબ્દ જ શાસ્ત્ર ઓળખતું નથી. વર્ણો છે અને તે તો ચાર જ છે. પણ અગણિત જ્ઞાતિમાં યે તડાં પડ્યાં છે ને તેમાં બેટીવ્યવહાર બંધ થતો જોવામાં આવે છે. આ ઉન્ન્તિનાં લક્ષણ નથી, પણ અવનતિનાં છે.
|