2 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંકીર્ણ વર્ગનો છે. તેના પહેલા પદમાં બે તગણ, જગણ અને બે ગુરુ મળી અગિયાર, બીજા પદમાં ત્રણ તગણ અને બે ગુરુ મળી અગિયાર, ત્રીજા પદમાં ચાર યગણના બાર અને ચોથા પદમાં જગણ, તગણ, જગણ અને બે ગુરુ મળી અગિયાર વર્ણ હોય છે.
|
3 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અધિધૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે સગણ, રગણ, બે નગણ, સગણ અને લઘુ મળી ઓગણીશ વર્ણ હોય છે. તેમાં નવમા અને તે પછીના દશમા અક્ષર ઉપર યતિ આવે છે.
ઉપયોગ
સ સ રા ન ન સા લા થકી, નવ દશ યતિ કર પ્રેમ. – રણપિંગળ
|
7 |
|
पुं. |
પ્રીતિ; સ્નેહ; પ્યાર; હેત; વહાલ. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાની શક્તિ છે, તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં હોવી જોઈએ. આ આકર્ષણ શક્તિનું નામ પ્રેમ છે. એ પ્રેમ વિના જગત ન નભે. એવો પ્રેમ પિતા પુત્ર વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, મિત્ર મિત્ર વચ્ચે તો આપણે અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં જ ઈશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ ક્ષેમ છે. પ્રેમ તો પારસમણિ છે. પ્રેમબીજનું ફળ અગણિત પ્રેમફળ જ હોય. પરમ શુદ્ધ અને વિસ્તૃત અર્થમાં પ્રેમ ઈશ્વરનું જ એક રૂપ માનવામાં આવે છે. તેથી ઘણાખરા ધર્મો અનુસાર પ્રેમને જ ઈશ્વર અથવા પરમ ધર્મ કહેવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં પ્રેમને અનિર્વચનીય કહ્યો છે. અને તેને ભકતિના બીજા રૂપ તથા મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે બતાવેલ છે.મુમુક્ષુઓને માટે શુદ્ધ પ્રેમભાવનું જ વિધાન છે. શાસ્ત્રોમાં અને ખાસ કરીને વૈષ્ણવ સાહિત્યમાં આ પ્રેમના અનેક ભેદ કરવામાં આવેલ છે. સાહિત્યમાં પ્રેમ, રતિ અથવા પ્રીતિના ત્રણ પ્રકાર માનવામાં આવે છે: (૧) ઉત્તમ, જેમાં પ્રેમ હમેશા એકસ્વરૂપ રહે. જેમકે, ઈશ્વર પ્રતિ ભક્તનો પ્રેમ. (૨) મધ્યમ, જે અકારણ ઉત્પન્ન થાય. જેમકે, મિત્રોનો પ્રેમ. અને (૩) અધમ, જે કેવળ સ્વાર્થને માટે ઉત્પન્ન થાય. પ્રેમ વિષે કહેવાયું છે કે:
માનવી પશુપંખીમાં સ્થાવર જંગમો વિષે,
એકત્વ સાધવાની તો પ્રેમ એ વડી ચાવી છે.
અદ્વેષ પ્રેમનું બીજ પ્રેમે પ્રેમ પમાય છે,
વિશ્વપ્રેમ પરંપ્રેમ અદ્વેષથી સધાય છે.
વિશ્વપ્રેમ પ્રકાશે જો પૂર્ણાંશે માનવી વિષે,
માનવી માટીનો તો યે પ્રભુમય બની જશે.
માનવી પ્રભુ વચ્ચે છે અંતરપટ સ્વાર્થનું,
સ્વાર્થ હોમી પરાર્થે તે બ્રહ્મમય બની જતો.
જો આવી દિવ્ય દષ્ટિથી રાષ્ટ્રપ્રશ્નો ઉકેલીએ,
સામ્રાજ્યો સુખશાંતિનાં વિશ્વમાં સ્થાપીએ બધે.
પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. પ્રેમભક્તિમાં એકતા કરવાથી નિજપુરુષને બરાબર ઓળખી શકાય છે. તેમાં ધર્મ, કર્મ, જ્ઞાન ને શક્તિનું એટલે ઐશ્વર્યનું ભાન થાય છે અને તેની એટલે પરમાત્માની સંપૂર્ણતા જાણવામાં આવે છે. તેથી પ્રેમભક્તિ અથવા પ્રેમલક્ષણાભક્તિ એ જ જગતમાં શ્રેષ્ઠ પણ જણાઈ છે, તો તે જ ન્યાયે ઈશ્વરમાં પણ યોગ્ય રીતે પ્રેમભક્તિ આરોપ કરી શકાય અને તેથી વેદવ્યાસજીએ ભક્તિને પ્રધાન રાખીને પુરાણો રચ્યાં છે. ગાંધીજી કહે છે કે: જ્યાં વેર ત્યાં નાશ છે. મોટામાં મોટું આપણું કાર્ય પ્રેમનો વરસાદ વરસાવવાનું છે. પ્રેમ વરસાવવો એટલે ભળી જવું એમ નહિ. એ તો મોહ કહેવાય, એ તો સહિયારૂં ગણાય, આપણો વિરોધ કરતા હોય તેમની ઉપર પણ પ્રેમ રાખવો, તેમને મૂરખ ન માનવા, તેમની સેવા કરવી એ પ્રેમ છે.
ઉપયોગ
દોહદ હારદ સ્નેહ હેત પ્રણય રાગ અનુરાગ; પ્રેમ પ્રીતની રીતેને જાણત તે બડભાગ. – પિંગળલઘુકોષ
|
12 |
|
पुं. |
સ્ત્રીજાતિ અને પુરુષજાતિના જીવોનો પરસ્પરનો સ્નેહ; મહોબત; પ્રીત; સ્નેહ; આકર્ષણ. તે ઘણે ભાગે રૂપ,ગુણ, સ્વભાવ, સાંનિધ્ય અથવા કામવાસનાને કારણે થાય છે. પ્રેમ એ વીજળી જેવો છે. સ્ત્રી અને પુરુષમાં પણ છૂપી વીજળી છે અને તેથી તેઓ એકબીજા તરફ આકર્ષાય છે. આ આકર્ષણનું નામ પ્રેમ છે. બ્રાઉનિંગ કહે છે કે: મનુષ્ય ચાહે છે તેમાં એ ફેરફાર ઇચ્છતો નથી. એના પ્રેમનું નિધાન કોઈ વ્યક્તિ હોય કે સંસ્થા હોય કે સ્થળ હોય, ગમે તે હોય, પરંતુ જો સાચા હૃદયથી એ ચાહતો હોય તો તેમાં એ બિલકુલ વિકાર ઇચ્છતો નથી. પ્રેમના પદાર્થ પ્રત્યે અવિકારીપણું કે જે પરમાત્માનો ગુણ છે તે એ ઇચ્છે છે, પ્રેમમાં એ સ્થિરતાનું તત્ત્વ ઇચ્છે છે, પ્રેમમાં એ સ્થિરતાનું તત્ત્વ ઇચ્છે છે. પ્રેમના અનંત વિષયો હોય, પરંતુ એમાં ચંચલતા, ક્ષણિકતા જોવી એ દોષ છે. એમાં સ્થૈર્ય હોવું જોઈએ અર્થાત્ પ્રેમનાં પાત્રો પ્રત્યે સ્થિર પ્રેમ હોવો જોઈએ. પ્રેમ જે ગત્યાત્મક તત્ત્વ છે તેનો સંયોગ જે સ્થિર તત્ત્વ છે તેની સાથે થવો જોઈએ.
|