पुं.
શિવદાસ નામનો અકબરના દરબારનો એક મુત્સદ્દી. તે બુદ્ધિવાન હોઈ હિંદી, ફારસી તથા સંસ્કૃત ભાષા જાણી પ્રખ્યાત થયો હતો. પોતે ભારે હાજરજવાબી હઈ અકબર બાદશાહની તેના ઉપર સારી પ્રીતિ હતી. લવા નામથી પણ તે ઓળખાય છે. કવિ ઉપરાંત તે શૂરો સેનાપતિ હતો. પોતાના ધણીને વિજય અપાવ્યાથી નગરકોટની જાગીર તેને એનાયત કરવામાં આવી હતી. હિંદુ ધર્મનાં તત્ત્વો અસરકારક રીતે સમજાવી, તે ઉપર રાજાને આસ્થા કરાવી, ઇન્સાફ આપવામાં તેણે રાજાને કુશળ બનાવ્યો હતો. તે જાતે બ્રહ્મભટ્ટ એટલે બારોટ હતો. હિંદુ અમલદારોમાં ઠઠ્ઠાખોર અમલદાર બીરબલ હતો. તેને હિંદી કવિતા લખવાનો ઘણો જ શોખ હતો. અકબરે તેને કવિરાયની પદવી આપી હતી. ઈ. સ. ૧૫૭૪માં નગરકોટના રાજાની જાગીર આપી રાજા બીરબલનો ઇલ્કાબ તેને અપાયો હતો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ