1 |
[ સં. ] |
पुं. |
( જૈન ) અઢાર માંહેનું એ નામે એક દૂષણ.
ઉપયોગ
અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણ છે. – રાજચંદ્ર
|
2 |
|
पुं. |
( પુરાણ ) કલિ અને દુરુક્તિનો એ નામનો પુત્ર.
|
3 |
|
पुं. |
( પુરાણ ) દ્રોણવસુ અને અભિમતીનો એ નામનો પુત્ર.
|
4 |
|
पुं. |
( કાવ્યશાસ્ત્ર ) નવ માંહેનો એક જાતનો સ્થાયી ભાવ. નવ સ્થાયી ભાવ; રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્રર્ય, નિવેંદ. અપરાધ, વિકૃત શબ્દ, ચેષ્ટા અથવા વિકૃત જીવાદિથી ઉત્પન્ન થયેલ મનોવિકારને ભય કહે છે.
|
5 |
|
पुं. |
બાળકોને ડરી જવાના કારણે થતો એક જાતનો રોગ. તેમાં ઝાડા થઈ જાય છે તથા મગજનાં બીજાં દરદો થઈ આવે છે.
|
6 |
|
पुं. |
( પુરાણ ) વરુણના પુત્ર અધર્મને નિઋતિ નામની સ્ત્રીથી થયેલો એ નામનો દીકરો.
|
7 |
|
पुं.;न. |
ત્રાસ; આતંક; ભે; ઉદ્વેગ; વહેમ. જૈનમત અનુસાર ભયના સાત પ્રકાર છે અને તે સાત પ્રકારના ભયમાં જગતના તમામ ભયોનો સમાવેશ થઈ જાય છે: (૧) આ ભવમાં જીવનપર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ, તેનો ત્રાસ. (૨) મરણ થયા પછી પરભવ હશે કે નહિ અને હોય તો મારૂં શું થશે તેનો ત્રાસ. (૩) શરીરમાં રોગ થાય તેની વેદનાનો ત્રાસ. (૪) મને શરણ આપનાર સગાંવહાલાં, સંબંધીઓ, કુટુંબીઓ, શેઠ, રાજ્ય વગેરે રક્ષણ આપશે કે કેમ અને કોઇ વખતે પ્રતિકૂળ થવાનો ત્રાસ. (૫) મારી કોઇ વસ્તુ કોઇ ચોર વગેરે લઇ ન જાય તેમ ગોપવી રાખી છે, તે ખાનગી બાબતની કોઇને ખબર પડતાં મને નુક્સાન પહોંચાડશે એવો ત્રાસ. (૬) ઇંદ્રિયો આદિ શિથિલ થવી અને છેવટે મરણ થવાનો ત્રાસ. (૭) કાંઈક અણધાર્યું; એકાએક આકસ્મિક બનાવ બની જવાનો ત્રાસ.
|
8 |
[ સં. ભી ( ભય પામવો ) ] |
पुं.;न |
બીક; ડર; ધાસ્તી ગભરાટ; બીવું તે; અમુક વિષયના દર્શન કે શ્રવણ વડે થતી ચિત્તની અસ્થિરતા; એક જાતની ચિત્તવૃત્તિ; કોઇનો અપરાધ કરવાથી તથા વાઘ આદિ વકરેલાં પ્રાણીઓ વગેરે જોવાથી જે કાંઈ ડર ઊપજે તેને ભય કહે છે. મહાત્મા ગાંઘીજી લખે છે કે; બૂરામાં બૂરો શત્રુ ભય છે. તે ભયભીત બનનારાઓ તેમ જ ભય વર્તાવનાર જુલમગાર બંનેનાં મર્માને કોરી ખાય છે. જુલમગારને પોતાનો ભોગ બનનારમાં રહેલી કોઈક વસ્તુનો ડર લાગે છે. તેને સામના ભિન્ન ધર્મનો કે પછી તેની ધનદોલતનો ભય લાગતો હોય. બીજી જાતનો ભય લોભને નામો ઓળખાય છે. ઊંડા ઊતરીને જોશો તો માલૂમ પડશે કે, લોભ એ ભયનો જ એક પ્રકાર છે; પણ જેણે પોતાના હૃદયમાંથી ભયને હાંકી કાઢ્યો હોય, તેને ડરાવનારો હજી કોઈ થયો નથી અને થશે પણ નહિ. નિર્ભય માણસને કેમ કોઇ ડરાવી શક્તું નથી ? ઈશ્વર નિર્ભય માણસને પડખે સદાયે હોય છે, એથી આપણે કેવળ ઈશ્વરનો જ ડર રાખીએ અને તેનું રક્ષણ શોધીએ. એ પછી બીજા બધા ભયો આપોઆપ નાબૂદ થઈ જશે ભયની શરીર ઉપર થતી અસર વિષે વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે, ભીતિને કારણે એક પ્રકારનું રસાયણ પેદા થાય છે. એ લોહીમાં ભળે છે અને એને લીધે શરીરના મહાત્ત્વના અવયવો સંકોચાય છે. આ વિચિત્ર રસાયણ, જે ચિંતા દૂર થતાં અદૃશ્ય થઈ જાય છે, એ જ ભયને કારણે શરીર ઉપર થતી મોટા ભાગની અસર માટે કારણભૂત છે. હૃદયરોગો, મીઠી પેશાબ, લોહીનું ભારે દબાણ, પેટનું શૂળ, દમ અને એવાં દરદો લાંબા સમયના ભય અને ચિતામાંથી જન્મે છે, એમ તબીબી સંશોધકો માને છે. આ રસાયણ આપણા આંતરિક અવયવોની ક્રિયાઓમાં ખલેલ કરે છે અને આંતરડાંને જોડતા અવયવો ઉપર ખાસ અસર નિપજાવે છે. ચિંતા અને ભીતિ હળવાં હોય તોપણ એથી શરીર ઉપર ભારે અસર થાય છે. જેમ જેમ ભીતિ અને ચિંતાનો આવેગ વધતો જાય છે. તેમ એ કાતિલ ઝેર જેટલાં વિનાશક નીવડે છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે, વ્યક્તિની જેટલી બુદ્ધિમત્તા એટલા પ્રમાણમાં ભયની એના ઉપર ઓછી અસર થાય છે. ઓછો બુદ્ધિશાળી માનવી જો એ લાગણીપ્રધાન હોય તો એના ઉપર ભયની ઝડપી અસર થાય છે. માણસને ભય ને ચિંતા જેવું લાગે કે તરત જ કામ કરવા મંડી પડવું. મનમાં ને મનમાં તર્કવિતર્ક કરવાથી મોટા ભાગના ભયો ઊભા થાય છે. આ કંટાળાજનક ટેવ છોડવાનો સાચો માર્ગ ચિંતા ઓછી કરી વધુ શારીરિક શ્રમ કરવાનો છે.
ઉપયોગ
પ્રાણીઓ સૌ નિજ નિજ કૃત્યે જન્મ ધારે મરે છે, પામે છે સૌ ભય સુખ દુ:ખો ક્ષેમ કર્માનુસારે; સામગ્રીથી ગિરિરૂપ પૂજો પ્રીતથી પૂર્ણકામ, નિત્યે મારે હૃદય રમજો એ રમાકાંત શ્યામ. – ભગવતપુષ્પાંજલિ
|
9 |
|
पुं.;न. |
ભયનું કારણ.
|
10 |
|
पुं.;न. |
સંદેહ; શંકા; સંશય.
|
11 |
|
न. |
( જૈન ) મોહનીય કર્મની એક પ્રકૃતિ. તેના ઉદયથી જીવ ચારિત્રમાં ભય પામે.
|
12 |
|
पुं.; न. |
આફત; સંકટ; આપત્તિ; વિપત્તિ; કષ્ટ; અનર્થ.
રૂઢિપ્રયોગ
ભય આવવો = સંકટ આવવું; આફત આવવી.
|