1 |
[ સં. ] |
पुं. |
અથર્વવેદનાં અમુક સુક્તોનો કર્તા એ નામનો એક ઋષિ. તેણે ફેલાયેલ મત આથર્વણ કહેવાય છે.
|
2 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક ઋષિ. આ મુનિની આખ્યાયિકા ભાગવતમાં છે. તે સ્વયંભૂ મનુની ખ્યાતિ નામની કન્યાને પરણ્યો હતો.
ઉપયોગ
ભૃગુ વસિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર, કરઇ અકેકી પાસિ કલત્ર. – પ્રબોધચિંતામણિ
|
3 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક ઋષિ. તેને પુલોમા નામની સ્ત્રીથી શુક્રાચાર્ય વગેરે સાત પુત્રો થયા હતા. શુક્રની માનો વિષ્ણુએ વધ કર્યો હતો એમ કહેવાય છે.
|
4 |
|
पुं. |
એ નામનો એક પર્વત. અહીં શૂલપાણેશ્વર નામનું તીર્થ આવેલું છે.
|
5 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક બ્રહ્મમાનસપુત્ર. એ તેમની ત્વચામાંથી ઉત્પન્ન થયો હતો. કર્દમ પ્રજાપતિની ખ્યાતિ નામની કન્યા તેની સ્ત્રી હતી. તેથી તેને ધાતા, વિધાતા, કવિ અને સોમપ નામના પિતર થયા હતા અને શ્રી અથવા લક્ષ્મી નામની એક કન્યા થઈ હતી. તે એણે વિષ્ણુને આપી હતી. આ ઉપરથી લક્ષ્મીનું નામ ભાર્ગવી પડ્યું છે.
|
6 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક એક મુનિ; ભાર્ગવ્ બ્રાહ્મણોના મૂળપુરુષ વૃદ્ધ મનુના દશ માંહેના એ નામનો એક માનસપુત્ર. તે શિવનો પુત્ર મનાય છે. અગ્નિના ભુગભુગ અવાજની સાથે ઉત્પન્ન થવાથી તેનું ભૃગુ નામ પડ્યું. ભૃગુ એટલે બળતા અગ્નિનો અવાજ. એક વાર ઋષિઓ એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ મુખ્ય દેવોમાં વધારે માનનીય કોણ છે. તેથી સર્વાનુમતે ભૃગુને પરીક્ષા કરવા મોકલ્યા. ઋષિ પ્રથમ બ્રહ્મા પાસે ગયા, ને સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. બ્રહ્માને વંદન કીધું નહિ. દેવને આથી ભારે ક્રોધ ચડ્યો, ને ઋષિને સખત શબ્દમાં સપડાવ્યા. ઋષિએ માફી માગી ને બ્રહ્માને શાંત પાડ્યા. ત્યાંથી તે શિવજી પાસે ગયા. ત્યાં પણ શિવને નમસ્કાર ન કીધો. તેથી અપમાન સહન ન થવાથી ઋષિનો નાશ કરવાને શિવ ઉદ્યત થયા. પણ આજીજીથી ક્ષમા યાચી ઋષિ ભયમાંથી છૂટ્યા. છેલ્લી વખત તે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ પોઢી ગયા હતા. તેને ઉઠાડવાને ભૃગુએ વિષ્ણુની છાતીમાં એક લાત મારી એટલે દેવ જાગ્યા, ને ઊઠીને ઋષિના પગ હાથમાં લઈ તેને દાબવા માંડ્યા ને કહ્યું કે, મહારાજ મારી છાતી કઠણ છે, તમારા પગ કુમળા છે તેથી તે દુ:ખતા હશે. આવું સાંભળી ભૃગુએ ક્ષમા માગી, ત્યાંથી વિદાય થઇ ઋષિમંડળને વૃત્તાંત જણાવ્યો. તેથી સર્વેએ વિષ્ણુને અધિક માનનીય ગણ્યા. છાતીમાં લાતનું જ ચિહ્ન પડ્યું તેને ભૃગુલાંછન કહે છે ને તેને માટે વિષ્ણુ ભગવાન સદા મગરૂર છે એમ કહેવાય છે. તેના વંશમાં પરશુરામ થયા હતા. આ ભૃગુ અને અંગિરા તથા કપિથી આખા સંસારનાં મનુષ્યોની સૃષ્ટિ થઈ છે એમ મનાય છે. તે સપ્તર્ષિઓમાંના એક ગણાય છે. તેની ઉત્પત્તિ સંબંધમાં મહાભારતમાં લખ્યું છે કે, એક વખત રુદ્રે એક મોટો યજ્ઞ કર્યો તે જોવાને ઘણા દેવ, તેની સ્ત્રીઓ અને કન્યાઓ આવ્યાં. જ્યારે બ્રહ્મા આ યજ્ઞમાં આહુતિ દેવા લાગ્યા, ત્યારે દેવકન્યાઓ વગેરેને જોઇને તેનું વીર્ય સ્ખલિત થઈ ગયું. સૂર્યે પોતાનાં કિરણોથી આ વીર્ય ખેંચીને અગ્નિમાં નાખી દીધું. આ વીર્યથી અગ્નિશિખામાંથી ભૃગુની ઉત્પત્તિ થઈ.
|
7 |
|
पुं. |
( પુરાણ ) એક જાતના દેવતા. તે અગ્નિ પેદા કરનાર અને અગ્નિપોષક ગણાય છે. તેઓ રથ બનાવે છે.
|
8 |
|
पुं. |
ખડકની ટોચ.
|
9 |
|
पुं. |
( પુરાણ ) ચાક્ષુષ મન્વંતર માંહેના એ નામના એક સપ્તર્ષિ.
|
10 |
|
पुं. |
જમદાગ્નિ.
|
11 |
|
पुं. |
ટેકરી.
|
12 |
|
पुं. |
પરશુરામ.
|
13 |
|
पुं. |
પર્વતની કરાડ.
|
14 |
|
पुं. |
પર્વતની સપાટી.
|
15 |
|
पुं. |
પર્વતનું નિરાધાર ઊંચું સ્થાન. ત્યાંથી પડવાથી માણસ સીધો જમીન ઉપર જઇ પડે છે.
|
16 |
|
पुं. |
પર્વતનું શિખર.
|
17 |
|
पुं. |
પ્રપાત; અતટ; પર્વત ઉપરથી પડવાનું ઠેકાણું.
|
18 |
|
पुं. |
ફાટ; ચીરો.
|
19 |
|
पुं. |
( પુરાણ ) બ્રહ્મદેવના દશ માંહેનો એ નામનો એક પુત્ર.
ઉપયોગ
બ્રહ્મદેવે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો વિચાર કરતાં તેમના શરીરમાંથી લોકોની સૃષ્ટિ ઉત્પન્ન કરવાના કારણરૂપ એવા મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને દશમા નારદ એ નામના દશ પુત્રો ઉત્પન્ન થયા. – પુરષોત્તમ ગીતા
|
20 |
|
पुं. |
( પુરાણ ) બ્રહ્મના એ નામના એક માનસપુત્ર. તેણે દક્ષના યજ્ઞમાં ઋત્વિજનું કામ કર્યું હતું. શિવના ક્રોધથી તેની દાઢી જતી રહી હતી. તેમણે ત્રિમૂર્તિ દેવની મોટાઈની કસોટી કરી હતી. પુલોમા નામની સ્ત્રીની સાથે તેણે છૂપો વિવાહ કર્યો હતો. કહેવાય છે કે, તેણે ક્ષત્રિયને શબ્દ માત્રથી બ્રાહ્મણ બનાવવાનું અદ્ભુત કામ કર્યું છે.
|
21 |
|
पुं. |
ભૃગુના ગોત્રનું સંતાન; ભૃગુના વંશનો બ્રાહ્મણ.
|
22 |
|
पुं. |
મત્સ્યપુરાણમાં જણાવેલ અઢાર માંહેનો એ નામનો એક શિલ્પસંહિતાકાર.
|
23 |
|
पुं. |
( પુરાણ ) મનુએ ઉત્પન્ન કરેલા દશ માંહેનો એક ઋષિ.
|
24 |
|
पुं. |
( પુરાણ ) મહાદેવના શાપથી પૂર્વના બ્રહ્મમાનસપુત્ર મરણ પામેલા હોવાથી મન્વંતરને આરંભે બ્રહ્મદેવે ફરી ઉત્પન્ન કરેલા પુત્રોમાંનો એક. તેમાં આ ભૃગુ વરુણના યજ્ઞમાં ઉત્પન્ન થયો હતો અને વરુણે તેને પોતાના પુત્ર તરીકે ગ્રહણ કર્યો, તેથી તે વારુણિભૃગુ એ નામથી વિશેષ પ્રખ્યાત છે. આ ભૃગુને અહીંયાં પુલોમા નામની સ્ત્રીની કુખે પ્રથમ બાર દેવ ઉત્પન્ન થયા. પછી સાત ઋષિ નિર્માણ થયા. આ ભૃગું દરેક ભાદરવા માસના સૂર્યની સાથે સંચાર કરે છે. આ ભૃગુના કુળમાં કેવલ ભૃગુ અને જામદગ્ન્ય ભૃગુ એવી બે વંશમાલિકા છે.
|
25 |
|
पुं. |
મુખ્ય અઢાર માંહેનો એ નામનો એક જ્યોતિષી.
|
26 |
|
पुं. |
( પુરાણ ) વરુણ નામના આદિત્યને ચર્ષણી નામની સ્ત્રીથી થયેલ એ નામનો એક પુત્ર.
ઉપયોગ
ભૃગુ નામના જિજ્ઞાસુ પુત્રે પોતાના વરુણ નામના બ્રહ્મવેત્તા પિતાના મુખેથી બ્રહ્મનું લક્ષણ સાંભળ્યું. – પંચદશી સારાસંગ્રહ
|
27 |
|
पुं. |
( પુરાણ ) વારુણિ કવિનો એ નામનો એક પુત્ર.
|
28 |
|
पुं. |
શિવ; મહાદેવ.
|
29 |
|
पुं. |
( જ્યોતિષ ) શુક્ર નામનો ગ્રહ.
ઉપયોગ
નમે તારા સારા બૃહત ભૃગુ ને મંગળ સમા. – પ્રેમાનંદ
|
30 |
|
पुं. |
શુક્રવાર; ભૃગુવાર.
|
31 |
|
पुं. |
શુક્રાચાર્ય.
|
32 |
|
पुं. |
શ્રીકૃષ્ણ ભગવાન.
|
33 |
|
न. |
આર્ય લોકો પંજાબમાં આવીને વસ્યા તે સમયનું એક પ્રાચીન ગોત્ર.
ઉપયોગ
મૂળ ગોત્રકાર ભૃગુ ઋષિના વત્સ. વિદ, આષ્ટિષેણ યસ્ક, મિધુયુવા, વૈન્ય અને શુનક એ સાત ગણો ( સમવાયો અથવા જથ્થાઓ ) ગણાવ્યા છે. – પ્રસ્થાન
|
34 |
|
न. |
એ નામનું એક કુળ. આ કુળના આદિ પુરુષ ભૃગુ હતા. પ્રાચીન સાહિત્યમાં ભૃગુનો વંશ મહાપ્રતાપી ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં એમનો ફાળો બહુ મોટો છે. તેનો વંશ નીચે પ્રમાણ છે: (૧) બ્રહ્મા, (૨) ભૃગુ (પુલોમા), (૩) ચ્યવન ( સુકન્યા ), (૪) પ્રમતિ ( ઘૃતાચી ), (૫) રુરુ ( પ્રમદ્વહા ), (૬) શુનક, (૭) શૌનક.
|