न.
પાચનક્રિયામાં ઉપયોગી શરીરનો એક અવયવ. આ નામ તેની લંબાઈને લીધે નહિ, પરંતુ પહોળાઈ કે જાડાઈને આભારી છે. કારણ, તેની લંબાઈ તો ફક્ત સાડા ત્રણ હાથ છે, જ્યારે તેની પહોળાઈ પગના અંગૂઠા જેટલી છે. તે કલેજા સુધી ઊંચું જાય છે. ત્યાંથી પાછું વાંક ખાઈ આડી દિશામાં ડાબી બાજુ બરોળ સુધી જાય છે. ત્યાંથી તે ડાબા વક્ષણોતરિક પ્રદેશમાં સીધું નીચે ઊતરી આવે છે. ત્યાંથી તે પાછું ગૂચળાંની માફક આડું અવળું થઈ, મધ્ય રેખામાં આવીને સીધી રીતે નીચે ઊતરે છે અને પૃષ્ઠવંશની આગળ ધનુષ્યની માફક, વાંકી વળેલી ગુદનલિકામાં પરિણમે છે. તેની આકૃતિ જોતાં જણાશે કે તે નાના આંતરડાની આસપાસ રહેલું છે અને નાના આંતરડા જેવું પાતળું કે ગૂંછળાવાળું નથી. નાના આંતરડામાં પચી ગયેલા ખોરાકનો રસ ચુસાઈ ગયા બાદ અવશેષ રહેલા પ્રવાહી મળ ભાગને આ આંતરડું આધાર આપે છે. તેથી તે મલાશય અથવા પકવાશય નામે પણ ઓળખાય છે. આ આંતરડામાં પ્રવાહી મલભાગનો જલભાગ શોષાઈ જતાં તે કઠણ થાય છે અને યોગ્ય સમયે તે બહાર ધકેલાય છે. તેથી તેનું મલાશય નામ પણ યથાર્થ છે. મોટા આંતરડાનું બંધારણ નાના આંતરડાને મળતું છે. ફક્ત તેની અંદરની કલામાં રસાંકુરિકાઓ નથી કારણ ત્યાં શોષણની જરૂર નથી. પણ તેની દીવાલના માંસમય પડની બહારની બાજુ પર ત્રણ ઊભી પાતળી પટ્ટીઓ દેખાય છે જે તેનું ખાસ ચિન્હ છે. આ પટ્ટીઓ તેની દીવાલને સંકોચી દ્દઢ બનાવે છે. જેથી અન્નનલિકાના આ ભાગનો દેખાવ થાળીઓની માળા જેવો લાગે છે. વર્ણનની સરળતા ખાતર મોટા આંતરડાના છ વિભાગો પાડવામાં આવ્યા છે: ઉણ્ડુક, આરોહિભાગ, અનુપ્રસ્થભાગ, અવરોહિભાગ, કુંડલિકા તથા ગુદનલિકા. નાના આંતરડાની માફક મોટા આંતરડાને પણ, ઉત્તરા તથા અધરા આંત્રિકી નામની ધમની લોહી પૂરું પાડે છે. તેમની શાખાઓ સાથે ચાલતી શિરાઓની શાખાઓ પોતાનું લોહી પ્રતિહારિણી શિરામાં ઠાલવે છે. આ કારણને લઈને જો યકૃતમાં કંઈ રોગ થાય ને તેમાં લોહીની ગતિનો અટકાવ થાય તો આ આંતરડાઓની શિરાઓમાં લોહી જમા થાય છે અને દરદીને રક્તપિત્તનું દરદ લાગુ પડે છે. જ્યાં સુધી સમાન અને અપાન વાયુ પોતાનાં કાર્યો બરાબર, એકબીજાના સહકારથી કરે ત્યાં સુધી આંતરડાંઓનું કાર્ય બરાબર ચાલે છે. આંતરડાંની અંદરની કલાનું પ્રાચીનોએ મલધરાકલા એવું નામ આપ્યું છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.