पुं.
[ સં. ]
( વેદાંત ) આત્મામાં રહેલો એક સાત્ત્વિક ગુણ. જ્ઞાનરૂપ બુદ્ધિગુણ તો એક આત્મામાં જ રહે છે. એ બુદ્ધિ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારની છે. તેમાં ઈશ્વરાત્માની બુદ્ધિ નિત્ય, પ્રત્યક્ષ અને એક હોય છે, તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય, પ્રત્યક્ષ અને પરોક્ષ તથા નાની હોય છે. અનિત્ય બુદ્ધિના અનુભૂતિ તથા સ્મૃતિ એમ બે પ્રકાર છે. એ બંને પ્રકારની બુદ્ધિ યથાર્થ અને અયથાર્થ એવા બે પ્રકારની હોય છે. યથાર્થ અનુભવ ચાર પ્રકારનો હોય છેઃ પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શબ્દ. પ્રત્યક્ષ યથાર્થ અનુભવ છ પ્રકારનો હોય છેઃ (૧) ઘ્રાણજ, (૨) રાસન, (૩) ચાક્ષુષ, (૪) સ્પાર્શન, (૫) શ્રાવણ અને (૬) માનસ. એ છએ પ્રકારનું પ્રત્યક્ષ (૧) સવિકલ્પ અને (૨) નિર્વિકલ્પ એવા બે પ્રકારનું હોય છે. વળી તે લૌકિક પ્રત્યક્ષ અને અલૌકિક પ્રત્યક્ષ એવા બે પ્રકારનું પણ હોય છે. અલૌકિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું હોય છેઃ (૧) સામાન્ય લક્ષણ સન્નિકર્ષજન્ય, (૨) જ્ઞાનલક્ષણ સન્નિકર્ષજન્ય અને (૩) યોગજ ધર્મલક્ષણ સન્નિકર્ષજન્ય. અયથાર્થ અનુભવ ત્રણ પ્રકારનો હોય છેઃ (૧) સંશય, (૨) વિપર્યય અને (૩) તર્ક.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં