न.
[ સં. ]
નર્મદાના ઉત્તર તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. નર્મદા પંચાંગમાં કથા છે કે, રામચંદ્રજીના પ્રશ્ન ઉપર વસિષ્ઠ કહેવા લાગ્યા; પ્રાચીન સમયમાં ભૃગુવંશોદ્ભવ સૌભર ઋષિ યમુનાના જલમાં બેસીને તપ કરવા લાગ્યા. ત્યાં ગરુડ આવ્યા અને ઋષિની સંમુખ બેસીને જલમંથી માછલીઓ પકડીને ખાવા લાગ્યા. આ જોઇને ઋષિએ શાપ આપ્યો કે, અહીં જે કોઇ હત્યા કરશે, તે મૃત્યુને પામશે. આ શાપ શ્રવણ કરવા છતાં ગરુડ માછલીઓને પકડીને ખાવા લાગ્યા અને તે સમયે તેને મૃત્યુ પ્રાપ્ત થયું. આ જોઇને ભગવાનનું વાહન ગરુડ મારા શાપથી મૃત્યુ પામ્યા, એ ચિંતાથી સૌભર ઋષિ બેચેન થયા. તેમણે સંજીવની દ્વારા તેને જીવિત કર્યા. પરંતુ ગરુડમાં પહેલાંની જેવું તેજ પ્રગટ ન થયું. પછી ઋષિએ તેને હરિહરનો મંત્ર આપીને રેવાતીરે ભૃગુક્ષેત્ર અથવા ભારકચ તીર્થમાં તપ કરવાનું કહ્યું. તેમણે તેમ જ કર્યું અને સિદ્ધિ મેળવી આ સ્થાનમાં પ્રાચીન કલ્પમાં ઇંદ્રનું રાજ્ય બલિને મળે તે માટે ભૃગુએ ગાયત્રીપુરશ્ચરણ કર્યું હતું આ કારણે તેને ભૃગુકચ્છ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.