पुं.
( પિંગળ ) એ નામનો એક છંદ. માત્રા અને અક્ષર એ બેના નિયમોથી થતી ગણના ઉપરથી જે શબ્દનો સમાસ થાય તે રચનાને કવિતા, છંદ અથવા વૃત્ત કહે છે. છંદરચના બે પ્રકારની છેઃ માત્રામેળ અને અક્ષરમેળ. માત્ર માત્રાના નિયમ ઉપરથી કવિતાની જે રચના થાય છે, તેને માત્રાવૃત્ત અથવા માત્રામેળ છંદ કહે છે, પછી અક્ષર ગમે તેટલા આવે. થોડા અથવા ઘણા અક્ષરો લાવીને કહેલી માત્રા પૂરી કરવી, પણ એ માત્રા લાવી મૂકવામાં અક્ષરોની ગોઠવણ કાનને નઠારી ન લાગવી જોઈએ તથા પાણીના રેલાની પેઠે વહેતી હોવી જોઇએ. એને સારુ કોઈ પણ તાલ ધરવો જરૂરનો છે. દોહરો, સોરઠો, હરિગીત, ચોપાઈ, સવૈયો,છપ્પો, ગીતિ વગેરે માત્રામેળ છંદો છે. આ સિવાય સંગીતનાં રાગરાગણી, ભજનકીર્તન, પદ, ગરબા ગરબી વગેરેના છંદનો લગભગ બધો ભાગ માત્રામેળ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.