पुं.
હિંદને આઝાદી અપાવનાર એક જગવિખ્યાત સંત પુરુષ અને વિભૂતિ. તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. બેરિસ્ટર થયા પછી તે આફ્રિક ગયા અનેત્યાંના હિંદીઓનાં દુ:ખ દૂર કર્યાં. ૧૯૧૫માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની તેમણે સ્થાપના કરી. ચરખા અને ખાદીનો તેમણે પ્રચાર કર્યો. ઈ.સ. ૧૯૨૪માં મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. અંત્યજોદ્ધાર પછી આત્મશુદ્ધિને ખાતર તેમણે ૨૧ દિવસના ઉપવાસ આદરી ગ્રામોદ્વાર પ્રવૃત્તિ ઉપાડી હતી. સત્ય અને અહિંસા તેમના જીવનના અચલ સિદ્ધાંત હતા.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.