पुं.
શ્રી વલલભાચાર્યનો સંપ્રદાય. શ્રી બાળગંગાધર ટિળક કહે છે કેઃ ચોથો સંપ્રદાય શ્રી વલ્લભાચાર્યનો છે. રામનુજ અને માધ્વ એ બે સંપ્રદાયોની માફક આ સંપ્રદાય પણ વૈષ્ણવપંથી છે. પણ વિશિષ્ટાદ્ધૈતી કિંવા દ્વૈતી માને છે તેના કરતાં જીવ, જગત અને ઇશ્વર એ સંબંધી આ પંથનો મત નિરાળો છે. માયાવિરહિત એટલે શુદ્ધ જીવ અને પરબ્રહ્મ એક જ છેઃ એ બે નથી, એ મત આ સંપ્રદાયને માન્ય છે અને તેથીજ એ સંપ્રદાયને `શુદ્ધાદ્વૈતી` સંપ્રદાય કહે છે. તથાપિ શંકરાચાર્ય કહે છે તે પ્રમાણે જીવ અને બ્રહ્મને એક જ ન માનતાં અગ્નિનો જેમ તણખો તેમ જીવ. એ ઇશ્વરનો અંશ છે. વળી માયા પરતંત્ર થયેલા જીવને મોક્ષપ્રાપ્તિને માટે જોઇતું જ્ઞાન ઇશ્વરાનુગ્રહ વિના થવું અશકય છે, એમ માને છે અને તે રીતે શાંકરસંપ્રદાયથી આ સંપ્રદાય જુદો પડે છે. પરમેશ્વરના આ અનુગ્રહને પુષ્ટિ એટલે પોષણ એવું નામ આપેલું છે. તેથી આ સંપ્રદાયને પુષ્ટિમાર્ગ એ નામથી ઓળખવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.