શુદ્ધદ્ધાવૈતી સંપ્રદાય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

શ્રી વલલભાચાર્યનો સંપ્રદાય. શ્રી બાળગંગાધર ટિળક કહે છે કેઃ ચોથો સંપ્રદાય શ્રી વલ્‍લભાચાર્યનો છે. રામનુજ અને માધ્‍વ એ બે સંપ્રદાયોની માફક આ સંપ્રદાય પણ વૈષ્‍ણવપંથી છે. પણ વિશિષ્‍ટાદ્ધૈતી કિંવા દ્વૈતી માને છે તેના કરતાં જીવ, જગત અને ઇશ્વર એ સંબંધી આ પંથનો મત નિરાળો છે. માયાવિરહિત એટલે શુદ્ધ જીવ અને પરબ્રહ્મ એક જ છેઃ એ બે નથી, એ મત આ સંપ્રદાયને માન્‍ય છે અને તેથીજ એ સંપ્રદાયને `શુદ્ધાદ્વૈતી` સંપ્રદાય કહે છે. તથાપિ શંકરાચાર્ય કહે છે તે પ્રમાણે જીવ અને બ્રહ્મને એક જ ન માનતાં અગ્‍નિનો જેમ તણખો તેમ જીવ. એ ઇશ્વરનો અંશ છે. વળી માયા પરતંત્ર થયેલા જીવને મોક્ષપ્રાપ્‍તિને માટે જોઇતું જ્ઞાન ઇશ્વરાનુગ્રહ વિના થવું અશકય છે, એમ માને છે અને તે રીતે શાંકરસંપ્રદાયથી આ સંપ્રદાય જુદો પડે છે. પરમેશ્વરના આ અનુગ્રહને પુષ્‍ટિ એટલે પોષણ એવું નામ આપેલું છે. તેથી આ સંપ્રદાયને પુષ્ટિમાર્ગ એ નામથી ઓળખવામાં આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects