બોટાદ જિલ્લો બરવાળા, બોટાદ, ગધાડા અને રાણપુર – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 185 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,564 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.
અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓમાંથી બે-બે તાલુકા લઈને બનાવવામાં આવેલ આ જિલ્લો ફક્ત 4 તાલુકા સાથેનો સૌથી નાનો જિલ્લો છે. બોટાદ જિલ્લામાં ખાસ કોઈ ઔદ્યોગિક વસાહતો નથી. એક રીતે જોવા જઈએ તો બોટાદ જિલ્લો કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ અને પાંચાલ પ્રદેશને જોડે છે. હનુમાનજીનું અદ્ભુત મંદિર સાળંગપુર ખાતે આવેલ છે, જે ગુજરાતનું એક અતિમહત્ત્વનું ધાર્મિક સ્થળ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.