અમરેલી જિલ્લો અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા, વાડિયા – એમ કુલ 11 તાલુકાનો બનેલ છે. અમરેલી જિલ્લામાં 617 જેટલાં ગામડાં આવેલાં છે. અમરેલી જિલ્લાનો કુલ વિસ્તાર 6,760 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 74%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
અમરેલી જિલ્લો તેના મગફળી અને શેરડીના ઉત્પાદનને કારણે જાણીતો છે. આ ઉપરાંત પીપાવાવ બંદર નજીક પણ ઉદ્યોગધંધાનું વિસ્તરણ થયું છે. ગુજરાત રાજ્યનું આ એક સૌથી ઝડપથી વિકસતું બંદર છે. અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા વજન માપવાના કાંટાઓ બનાવવા માટે પ્રખ્યાત છે. નાગનાથ મંદિર અને શ્રીનાથજીની હવેલી અમરેલીના જોવાલાયક ધાર્મિક સ્થળો છે જ્યારે તુલસીશ્યામ, ઉના, દેલવાડા અને કનકાઈ અમરેલી જિલ્લાનાં અગત્યનાં જોવાલાયક સ્થળો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.