આણંદ જિલ્લો આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ એમ – કુલ 8 તાલુકાનો બનેલ છે. આણંદ જિલ્લામાં 350 જેટલાં ગામડાં આવેલાં છે. આણંદ જિલ્લાનો કુલ વિસ્તાર 2,942 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 84%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

આણંદ જિલ્લાનું મુખ્ય મથક આણંદ છે. વિશ્વભરમાં જાણીતી બનેલી અમૂલ ડેરી આ જિલ્લામાં આવેલી છે. આ જિલ્લો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)ને કારણે પણ ભારતભરમાં જાણીતો છે. આ જિલ્લામાં આવેલ ખંભાત એનાં સુતરફેણી, હલવાસન, પાપડચવાણું અને અકીક ઉદ્યોગ માટે જાણીતું છે જ્યારે ધુવારણ તાપવિદ્યુતમથકના કારણે જાણીતું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ