બનાસકાંઠા જિલ્લો ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, ધાનેરા, ઈકબાલગઢ, લખની, પાલનપુર, કાંકરેજ (શિહોરી), સુઈગામ, થરાદ, વડગામ, વાવ – એમ કુલ 14 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 1249 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 12,703 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 31 લાખથી વધુ છે. 65%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અત્તર અને હીરાઉદ્યોગ માટે જાણીતું છે. આ જિલ્લો વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે પ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યનું મોટામાં મોટું તીર્થધામ અંબાજી આ જિલ્લામાં આવેલું છે, જ્યાં આરસપહાણની ખાણ છે અને તાંબું પણ ખનિજરૂપે મળે છે. અંબાજી પાસેનાં કુંભારિયાજીના જૈન દેરાં પુરાણી કોતરણી માટે વિખ્યાત છે. પાલનપુર પાસે બાલારામ ઝરણું, મંદિર ને ચંદનના વૃક્ષના જંગલ તેમજ ઉદ્યાન માટે જાણીતું છે. બાલારામમાં ગુજરાતની પ્રખ્યાત હેરીટેજ હોટેલ પણ આવેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનુ કેન્દ્ર છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.