ભાવનગર જિલ્લો ભાવનગર, ગારિયાધર, ઘોઘા, જેસર, મહુવા, પાલિતાણા, શિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 612 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 8,334 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 27 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર સૌરાષ્ટ્રસ્થિત બધી કળાઓનો વારસો સંઘરીને બેઠેલું નગર છે. ખંભાતનો અખાત આ જિલ્લાને અડકે છે ને હવે તો ખંભાતથી સુરત જવા દરિયામાર્ગે યાંત્રિક ફેરીબોટ પણ શરૂ થઈ છે. ભાવનગર પાસે અલંગ જૂનાં વહાણ ભાંગી એનાં ઇમારતી લાકડાંના વિક્રયનું મોટું પીઠું બન્યું છે. શેત્રુંજા પહાડ પરનું પાલિતાણા એનાં જૈનમંદિરો માટે જાણીતું છે. ભારતની જૂનામાં જૂની હેરીટેજ હોટલ ગણવામાં આવેલ નિલમબાગ મહેલ એક આગવી ઓળખ ધરાવે છે. વેળાવદર પાસે આવેલ ઘાસનાં મેદાનોમાં કાળિયાર હરણો માટે રાષ્ટ્રિય ઉદ્યાન સ્થાપવામાં આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ