ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, ઉના, વેરાવળ – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 485 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,754 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે. આ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે.
નવા બનેલા આ જિલ્લાનું નામ તેમાં આવેલ ગીરના જંગલ અને પ્રખ્યાત સોમનાથ મંદિર ઉપરથી પાડવામાં આવેલ છે. સોમનાથની ગણના વિશ્વનાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ તરીકે થાય છે. આ મંદિરની ખ્યાતિથી આકર્ષાઈને અફઘાન મહમદ ગઝની દ્વારા આ મંદિર ઉપર 17 વખત હુમલો કરવામાં આવેલ હતો. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. આની નજીકમાં આવેલ ભાલકા તીર્થ નામના સ્થળ ઉપર શ્રીકૃષ્ણ નિર્વાણ સ્થળ આવેલ છે. જૂનાગઢથી 65 કિ.મી.ના અંતરે આવેલ ગીર નેશનલ પાર્ક એશિયામાં વસતાં સિંહોના અંતિમ વસવાટ તરીકે ઓળખાય છે. ગીર નેશનલ પાર્કમાં પરમીટ લઈને સિંહદર્શન માટે જઈ શકાય છે. આ ઉપરાંત દેવાળીયા ખાતે જંગલ જેવું જ વાતાવરણ ઊભું કરીને પણ સિંહ જોવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.