નર્મદા જિલ્લો ડેડિયાપાડા, નાંદોદ, સાગબારા અને તિલકવાડા – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 612 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,749 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 5 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.



જિલ્લાની મધ્યમાં વહેતી નર્મદા નદીનું નામ પામેલો આ જિલ્લો નર્મદાતટનાં કેટલાંક તીર્થો પણ ધરાવે છે. રાજપીપળા અને ગરુડેશ્વરના પ્રવાસ આ દૃષ્ટિએ રમણીય બની રહે તેવાં છે. રાજપીપળા ઇમારતી લાકડાંના વેપારનું ગુજરાતનું એક મોટું કેન્દ્ર છે. નવાગામ પાસે સરદાર સરોવર યોજના આકાર લઈ રહી છે. ત્યાં બંધયોજનાનો પ્રવાસ એક આકર્ષણ કેન્દ્ર છે. આ સ્થળેથી નીકળતી નહેરો ગુજરાતના ઘણા બધા ભાગને પાણી પહોંચાડશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં