નવસારી જિલ્લો ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાંસદા – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 374 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,211 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 13 લાખથી વધુ છે. 83%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
ઉભરાટ દરીયાકિનારાનું વિહારધામ છે. વાંસદા જૂના રજવાડાનું સ્થળ હોઈ પુરાણો મહેલ અને દરબારગઢ ધરાવે છે. બીલીમોરા ઇમારતી લાકડાં અને કાગળના ઉદ્યોગનું મથક છે. ગણદેવીમાં થોડાંક શેલડી(શેરડી)નાં કારખાનાં થયાં છે. નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ જેવાં ફળોનું ખૂબ જ ઉત્પાદન થાય છે. વાંસદામાં પક્ષીઓ માટેનું રાષ્ટ્રિય અભયારણ્ય આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.