સુરેન્દ્રનગર જિલ્લો ચોટીલા, ચુડા, દસાડા (પાટડી), ધ્રાંગધ્રા, લખતર, લીમડી, મૂળી, સાયલા, થાનગઢ, વઢવાણ – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 587 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 9,271 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 17 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
સુરેન્દ્રનગર સૂતરના વેપારનું મથક છે. આ જિલ્લામાં કપાસનું વાવેતર મોટા પાયે થાય છે અને વિશ્વભરમાં તે ઉત્તમ કોટિના રૂ માટે વિખ્યાત છે. રૂ ના વ્યાપાર માટેનું સૌપ્રથમ મંડળ સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું. નજીકમાં આવલું વઢવાણ જૂનું રજવાડાનું શહેર છે. ધ્રાંગધ્રા ચીનાઈ માટીનાં વાસણો અને રસાયણ ઉદ્યોગ માટે જાણીતું છે. તરણેતર ખાતે ઑગસ્ટ/સપ્ટેમ્બર મહિનામાં ભરાતો મેળો એ ગુજરાતનો મોટામાં મોટો લોકમેળો છે. મેળામાં ભરતકામ કરેલી વિશેષ પ્રકારની છત્રીઓ લઈને મહાલતા યૌવનને જોવું એક લ્હાવો છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.