Home » GL Community
સમયના પ્રવાહ માં ઘણું જ તણાયા… ઘસાયા તોય નદીના પત્થર કહેવાયા… ઘણી જ લાં….બી મજલ કાપી શરૂથી અંત સુધી… અફસોસ કે ઉચેથી ના પટકાયા નહિ તો બને કે હોત ગંગા કહેવાયા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
બુદ્ધ અને તેમનો ધમ્મ’ ગ્રંથના આ સાતમાં ખંડમાં ત્રણ ભાગ છે. પ્રથમ ભાગમાં ‘મહાન પરિવ્રાજકની અંતિમ ચારિકા’ એટલે કે તથાગત બુદ્ધ સાથે સતત પરિભ્રમણ કરતા સહચારીઓ સાથે ફરી એકવારની મુલાકાત, બીજા ભાગમાં તથાગતે વૈશાલીથી વિદાય લીધી તે અને ત્રીજા ભાગમાં તથાગતે બનાવેલા ધમ્મને જ પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપે છે તે દૃશ્યો અંકિત થયાં છે. ટૂંકમાં બુદ્ધનાં જીવનના અંતિમ દિવસોની યાત્રાનો પરિપાક જોવા મળે […]
‘બુદ્ધના સમકાલીન’ એવા શીર્ષક હેઠળ આ છઠ્ઠા ખંડમાં બુદ્ધના સમયમાં જે રાજાઓ અને અન્ય લોકો હતા જે ધમ્મના અનુયાયી થયા. તેમનો અને બુદ્ધ વચ્ચે થયેલો સત્સંગ વીશે જાણકારી મળે છે.
દુનિયાનો એક માત્ર ‘ભીખ્ખુસંઘ’ કેવી રીતે એકસૂત્રતાને તાંતણે બંધાઈને કાળના પ્રવાહમાં અડીખમ ઊભો છે તેની અત્યંત સરળ શૈલીમાં તથાગત બુદ્ધે કરેલી દેશના સમાવતો મૂલ્યવાન ગ્રંથ એટલે બુદ્ધ અને તેનો ધમ્મ.
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]