ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે તા. 22 થી 26 ઑગષ્ટ દરમ્યાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસતકની ખરીદી પર 10% વળતર મળશે.
આ પુસ્તકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ઇલાબહેન ભટ્ટ અને શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે.
રસ ધરાવતા સૌ મિત્રોને તેની મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.