આજ 14 નવેમ્બર, આ દિવસ આખા દેશમાં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને બાળકો ખૂબ જ વહાલાં હતાં, તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે.
બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ…..
કવિતાની લિંક: http://tahuko.com/?p=13438
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ