http:r//rushichintan.com
ઉપર દર્શાવેલ “ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” બ્લોગની મુલાકાત લેશો. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દૃષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને સારું કરવાની માનસિકતા બનાવવાનો અવસર મળી શકે.આ વિચારબિંદુંને અનુસરીને શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દૃષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ”ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા કેટલાક અમૃત બિંદુઓને સમાવતો એક નવીન બ્લોગ ઋષિચિંતનના સાંનિધ્ય શરૂ થયેલો છે. આ બ્લોગમાં પ્રત્યેક વિચાર પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.