http:r//rushichintan.com
ઉપર દર્શાવેલ “ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” બ્લોગની મુલાકાત લેશો. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દૃષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને સારું કરવાની માનસિકતા બનાવવાનો અવસર મળી શકે.આ વિચારબિંદુંને અનુસરીને શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દૃષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ”ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા કેટલાક અમૃત બિંદુઓને સમાવતો એક નવીન બ્લોગ ઋષિચિંતનના સાંનિધ્ય શરૂ થયેલો છે. આ બ્લોગમાં પ્રત્યેક વિચાર પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.