દષ્ટિકોણ બદલીને પ્રગતિની દિશામાંં આગળ વધવું શક્ય
January 03 2020
Written By
Rahul Viramgamiya
પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ એક પ્રશ્ર્નનાંં ઉત્તરમાંં ભક્તોને જ્ણાવ્યું કે જો આજે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી
જકડાયેલા હોવ તો પણ નિરાશ ન થશો. તમારા ભાગ્યને દોષ ન આપશો કે બીજા કોઈને દોષી ન માનશો. માત્ર તમારો દષ્ટિકોણ બદલો.
ખરાબીનું કારણ તો તમારામાંં જ રહેલું છે. એને સમજીને કોઈપણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ ઊભી કરેલી છે.
એને તમે તરત જ દૂર કરી શકો છો. જો તમે તમારા દષ્ટિકોણ બદલી નાખો, સદાય ઉત્તમ વિચારોમાંં લીન રહો, તમારી આંંતરિક સ્થિતિને સુધારવાનો
દઢ સંકલ્પ કરી લો તો બાહ્યજીવનમાંં પણ તમે જેના માટે ચિંતિત હતા તે દશા સુઘરી શકે છે. જો આપણે ક્રોઘ, ચિંતા,ઇર્ષ્યા, લોભ વગેરે અસંગત માનસિક
દોષોનો શિકાર બનવા છતાંં ય ઉન્નત બનાવવા ઇસ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઇષ્યૅ વગેરે કુવિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.મનના વિચારોને,
ચિંતનને ઉચ્ચ બનાવતા રહો તથા સદાય સુખમય જીવનની આશા લઈને આગળ વધો. પછી તમે જોશો કે તમારી સ્થિતિમાંં આશાજનક સુધાર થઈ રહ્યો છે. જે
ખરાબ સ્થિતિના કારણે જીવન ભારરૂપ બની રહ્યું હતું, તે સુધરી શકે છે. આપણે જીવનમાંં સતત સકારાત્મકતા તરફ આગળ વધીએ.તેને માટે આપણે સદ્દિચંંતન,
સત્સંગ,સત્પુરુષોનો સંગ કરીને નકારત્મકતાને દૂર હટાવી દઈએ.
More from Rahul Viramgamiya
More Article
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.