पुं.
એ નામનો વૈષ્ણવ ધર્મનો એક પંથ. આ પંથનો સ્થાપનાર ચરણદાસ છે. તે લગભગ ઘણી રીતે વેદાંતને અનુસરે છે. તે નીતિ અને ચારિત્ર ઉપર વિશેષ ભાર મૂકે છે. હરિની પૂજા કરવી, બોધ આપનારમાં શ્રદ્ધા રાખવી અને પોતાનો ધર્મ યોગ્ય રીતે બજાવવો એ તેમનાં મુખ્ય ધ્યેય છે. તે પંથના સાધુ પીળા રંગના લૂગડાં પહેરે છે અને કપાળમાં ગોપીચંદનની એક લીટી દોરે છે. તેઓ અણીવાળી એક ટોપી અને ટોપીની નીચેના ભાગમાં પીળી પાઘડી પહેરે છે. તેમના આધારભૂત ગ્રંથ ગીતા અને ભાગવત છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં