पुं.
એ નામનો વૈષ્ણવ ધર્મનો એક પંથ. આ પંથનો સ્થાપનાર ચરણદાસ છે. તે લગભગ ઘણી રીતે વેદાંતને અનુસરે છે. તે નીતિ અને ચારિત્ર ઉપર વિશેષ ભાર મૂકે છે. હરિની પૂજા કરવી, બોધ આપનારમાં શ્રદ્ધા રાખવી અને પોતાનો ધર્મ યોગ્ય રીતે બજાવવો એ તેમનાં મુખ્ય ધ્યેય છે. તે પંથના સાધુ પીળા રંગના લૂગડાં પહેરે છે અને કપાળમાં ગોપીચંદનની એક લીટી દોરે છે. તેઓ અણીવાળી એક ટોપી અને ટોપીની નીચેના ભાગમાં પીળી પાઘડી પહેરે છે. તેમના આધારભૂત ગ્રંથ ગીતા અને ભાગવત છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.