2 |
[ સં. ] |
पुं. |
અગસ્ત્ય, વ્યાસ, બુદ્ધ, પાણિનિ, જૈમિનિ, કપિલ, પતંજલિ વગેરેમાંનો દરેક.
|
12 |
|
पुं. |
( પિંગળ ) મુનીશ; ઓગણશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, મગણ, નગણ, સગણ, નગણ, સગણ અને લઘુ એમ ઓગણીશ અક્ષરો હોય છે.
|
14 |
|
पुं. |
યથાર્થ મનન કરનાર ઋષિ; તપસ્વી; યોગી; મૌન રહી તપ કરનાર સાધુ; સંત; વાનપ્રસ્થ; એકાંતવાસમાં રહેનારો પુરુષ; વીતરાગી સ્થિર મનવાળો મનુષ્ય; ત્યાગી; સંન્યાસી; મનનશીલ યોગી. મુનિના પાંચ પ્રકાર છે; (૧) પુલાક, (૨) બકુશ. (૩) કુશાલ, (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. યાદવોના જમાનામાં મુનઓ તપોવનમાં નદી કિનારે આશ્રમો બાંધીને રહેતા, જપ તપ કરતા, શિષ્યોને વિદ્યા આપતા. સાદું ને સદાચારી જીવન જીવતા. એ જમાનામાં આજના જેવી શાળાઓ નહોતી. બાળકો મુનિઓના આશ્રમોમાં જઈ ને રહેતા. આશ્રમ એટલે ઘરનું ઘર અને શાળાની શાળા. આશ્રમના ઝૂંપડાઓમાં રહીને બાળકો ગુરુની સેવા કરતા. ગુરુ તેમને વિદ્યા આપતા. રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર પર આશ્રમોમાં બધા જ બાળકો સાથે રહેતા, ભણતા, ભોજન કરતા અને એક સાથે સૂતા. આશ્રમનાં આંગણામાં ગુરુ અને શિષ્યો ઝાડની શીતળ છાયામાં બેસે. ગુરુ વેદ શીખવે, જૂના જમાનાની રસિક વાતો કહે, આકાશનું અવલોકન કરાવે, દિવસે સૂરજનો પ્રકાશ, રાતે ચંદ્ર અને તારાનું તેજ, ગ્રહોની ગતિ, ઋતુઓનો તફાવત વગેરે બનાવોની ખૂબી સમજાવે, વનવગડાનો પ્રવાસ ગોઠવે, પશુપંખીનો પરિચય કરાવે, ઝાડપાન અને ફળફૂલ ઓળખાવીને તેનો ઉપયોગ સમજાવે, રાજકારભાર, ધનુષબાણ, તલવાર ને કુસ્તીની કળા પણ શીખવે. યાદવોના જમાનમાં આપણા દેશમાં આવા અનેક આશ્રમો મુનિઓ વસાવતા હતા.
ઉપયોગ
જ્ઞાની યોગી ઋષિ મુનિ ભક્ત ને ઓલિયારૂપે, દીધી છે શીખ સૌ દિવ્ય પ્રભુપ્રેરિત અંતરે.-ગાંધીગીતા
|
18 |
|
पुं. |
હોલંડ, ડેન્માર્ક, પ્રશીઅ, ગ્રેટબ્રિટન, આયર્લંડ, બેલ્જિયમ અને નોર્થસીની અંદર બૂડેલી જમીન.
|