पुं.
ખોજા લોકો પાળે છે તે એક જાતનો ધર્મ. ખોજામાં મુખ્ય બે ધર્મ ચાલે છે: (૧) આગાખાની અને (૨) ઈસના અશરી. એ સિવાય કેટલાક ખોજાઓ સુન્ની, સ્વામીનારાયણિયા, ભગત. મસ્જિદિયા, ખાનાઈ, તનાસરી વગેરે છે. આ સંપ્રદાયમાં પહેલાં હિંદુ આચાર ચાલતા અને નામ પણ હિંદુઓ જેવાંજ પડતાં. માનભરી રીતે સ્વધર્મમાંથી તેઓએ પરધર્મ સ્વીકારેલ હોઇને તેઓ હિંદુ તરીકે ઠક્કર કહેવાતા, પણ પરધર્મમાં ગયા ત્યારે ખ્વાજ એટલે ઉમરાવ કહેવાવા લાગ્યા. તેઓ શિયા ઇસ્લામી પંથના ગણાય છે. પંજઈ ખોજા આગાખાનને ઈશ્વર તરીકે માને છે. પીરઈ ખોજા આગાખાનને માત્ર ધર્મગુરુ તરીકે માને છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.