पुं.
હિંદના એક દેશભક્ત. તેમનું પૂરું નામ મહાદેવ ગોવિંદ રાનડે હતું. તેઓ પ્રખર ધારાશાસ્ત્રી અને આદ્ય સુધારક હતા. તેઓ ગોખલેના ગુરુ હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૮૪૨માં થયો હતો. કાર્યપરાયણતા, સર્વગ્રાહી બુદ્ધિ, સમતાયુક્ત મન, સાધુતા, સ્વદેશભક્તિ વગેરે ગુણોથી તે દક્ષિણ હિંદના ભાગ્યવિધાતા ગણાયા હતા. માતૃભૂમિ માટે કર્મ ને આત્મભોગ એ એમનો જીવનમંત્ર હતો. રાનડે માત્ર ન્યાયમૂર્તિ ન હતા. તેઓ ઇતિહાસકાર હતા અને અર્થશાસ્ત્રી પણ હતા. પોતે સરકારી ન્યાયાધીશ હોવા છતાં પણ મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડરપણે હાજરી આપતા. તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે સહુ તેમના નિર્ણયનો સ્વીકાર કરતા. તેમના સંબંધમાં ગાંધીજી લખે છે કે: પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજી એવી હતી કે, એક વખત તેઓ રોજની ટ્રેન ચૂકી ગયેલા તેથી પોતે સ્પેશ્યલ ટ્રેન કરાવી વખતસર પહોંચેલ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ