1 |
[ સં.રાન ( જંગલ ) + પ્રજા ] |
स्त्री. |
જંગલમાં વસનારી આદિવાસી જાત. સુરત, નવસારી જિલ્લાઓમાં એમને કાળીપરજના નામથી ઓળખવામાં આવે છે. તિરસ્કારમાં એમને નરડા પણ કહે છે. ગુજરાતીમાં પ્રચલિત નૈડ અને નરડા એ બંને શબ્દો એક જ અર્થનું સૂચન કરે છે. આ પ્રજામાં બીજી જુદી જુદી જ્ઞાતિઓ છે. તેમાં અઢાર મુખ્ય છે. તેનાં નામ આ પ્રમાણે છે: ભીલ, ચોધરા, ઘોડિયા, ગામીત, કોકણા, કોલેધા, તડવી, તળાવિયા, વલવી, વસાવા, બાવચા, ઘાણકા, દૂબળા, કાથુડીઆ, કોટવાળીઆ, માવચી, નાયકા ને વરલી. તે ઉપરાંત ગામેતી, વલપી, પારધિ, બરડા, ગૌંડ, કાત્કરી, કથોડી, કોળી, મહાદેવ, પટેલિયા, પોમલા, રાઠવા, રાઠોડિયા, ઠાકુર, બાવળા, વાધરી, સંતાલ, કાંબી, વણજારા, મુંડા, શવર, હો અને નાગ એવી બીજી જાતિઓ છે. આ સઘળી જ્ઞાતિઓ હિંદુ દેવદેવીઓને માને છે અને હિંદુ રીતરિવાજનું પાલન કરે છે. આ કોમમાં પાછા સંખ્યાબંધ પેટા ભાગ છે. તેમને કૂળ કહેવામાં આવે છે. ભીલ, વસાવા ચોધરા, ગામીતા અને ધોડિયા એ આગળ પડતી કોમો છે.
ઉપયોગ
એ બજારમાં માત્ર રાનીપરજ લોકો મીઠું; મરચું કાંદા, પથ્થર કે કલાઈ પિત્તળનાં ઘરેણાં ખરીદવા આવે છે. – મહાદેવ દેસાઈ
|