पुं.
એ નામના એક સંત. તેમનો જન્મ પંજાબ પ્રાંતના ગુજારાનવાલા જિલ્લાની અંદરના મુરારીવાલા ગામમાં એક ઉત્તમ ગોસ્વામી કુલમાં બાવીશમી ઑકટોબર સને ૧૮૭૩માં થયો હતો. કહેવાય છે કે, તેના પવિત્ર કુળમાં ગોસ્વામી શ્રી તુલસીદાસજી થઇ ગયા હતા. નાનપણથી જ તે પરમ આસ્તિક હતા. પ્રારંભમાં જ તેણે વ્રત લીધું હતું કે મારો પ્રત્યેક શ્વાસ પરમાત્માની સેવામાં અર્પણ કરીશ. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને વેદાંતના બીજા ગ્રંથોના અનુશીલનની સાથે સાથે એકાંતવાસ ઉપર તેનો પ્રેમ વધતો ગયો. વૈરાગ્ય અને અને પ્રેમમાં તેમનું હૃદય મસ્ત રહેવા લાગ્યું લોકોના આગ્રહ અને પ્રાર્થનાથી તે જપેન વિશ્વધર્મ પરિષદમાં અને પછી અમેરિક ગયા હતા. અમેરિકમાં તેમનો લોકો ઉપર અત્યંત પ્રભાવ પડ્યો અને તેમનાં વ્યાખ્યાનો સાંભળવા લોકોનો મહાસાગર ઊલટતો. કેટલાએ સ્ત્રીપુરુષોએ તેમની પાસેથી સંન્યાસ લીધો હતો. તેણે સંવત ૧૯૦૬ની દિવાળીને દિવસે ગંગા નદીના પ્રવાહમાં સમાધિ લીધી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.