વંદીદાદ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ અવ. વી-દઈવ-દાત ]

અર્થ :

( જરથોસ્તી ) જરથોસ્તી ધર્મનું એ નામનું એક પુસ્તક. ફારસીમાં તેને જુદ-દિવ-દાદ કહે છે, કારણકે, તેમાં મોટે ભાગે શરીર અને મનની અશુદ્ધિ કરનાર શક્તિઓ સામે અસરકારક રીતે કેમ ટકવું તેના કાયદા, કાનૂન તથા સૂચના આપેલ છે. તેના થોડા ભાગમાં આરોગ્યતાના નિયમો છે તેમ જ તેનો થોડો ભાગ ઈરાનીઓનો ફોજદારી કાયદો જણાવે છે. તેમાં ૨૨ પ્રકરણ છે. વંદીદાદના પ્રકરણને પરગર્દ કે ફરગર્દ કહે છે. અવસ્તાના સાહિત્યનાં ૨૧ પુસ્તકોમાં વંદીદાદ ૧૯મું પુસ્તક છે. વંદીદાદની ક્રિયા કરાવવામાં બે ધર્મગુરુ ભાગ લે છે. ખૂબની ક્રિયા જે ધર્મગુરુએ કરી હોય તે જ આ ક્રિયા કરાવી શકે. તે ઊશહિનગાહમાં એટલે કે મધરાતે બાર વાગ્યા પછી થઈ શકે છે: આ ક્રિયામાં તેના ૨૨ પ્રકરણ જાણવામાં હોય છે. પણ તે ક્રમવાર ભણવામાં આવતાં નથી. વચ્ચે વચ્ચે યસ્ન તથા વિસ્પરદના જુદાં જુદાં પ્રકરણો ઉમેરવામાં આવે છે. આ પ્રમાણે યસ્ન અને વિસ્પરદના અમુક અમુક પ્રકરણ ઉમેરાઈને થયેલું વંદીદાદ સહદ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects