पुं.
[ સં. અહિગંધા ]
એ નામની ઔષધિ; ઈશ્વરમૂળ; નોરવેલ. શાસ્ત્રોમાં તેને શીતજ્વર મટાડવામાં અતિ ઉપયોગી વર્ણવેલ છે. શીતજ્વરનાં જંતુઓનો નાશ કરવા માટેની તેની તાકાત સ્વદેશ કે વિદેશોમાં પૂરવાર થઈ ચૂક્યાનું કહેવાય છે. સર્પના ઝેર ઉપર ઘણું ઉપયોગી ઔષધ માનવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીઓએ તો બીજાં અનેક દરદો મટાડવા માટે તેનાં ભારોભાર વખાણ કર્યાં છે. ઈશ્વરમૂળને ઘણા લોકો નોરવેલ તરીકે પણ ઓળખે છે. એના વેલા થાય છે. એમાં કાળી અને ધોળી એવી બે જાત છે. કાળી સાપસૂત વધારે ગુણવાળી છે. તે ઘણી કડવી છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ