न.
( જૈન ) જ્ઞાનના બે માંહેનો એક પ્રકાર. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન એમ જ્ઞાનના બે પ્રકાર ગણાવાય છે. આત્માનું હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્માનું એક અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા આ બધાંને દષ્ટાંત આદિથી જે પ્રકારે સિદ્ધ કર્યાં હોય છે તે સિદ્ધાંતજ્ઞાન કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે, સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવલ ક્ષયોપશમે અને સદ્દગુરુના વચનની આરાધના ઉદ્ભવે છે. જે જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ છે અને અસંગતા વૈરાગ્ય અને ઉપશમથી આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.