पुं.
અઢારમા સૈકામાં દિલ્હીમાં થઈ ગયેલો એક મહાત્મા સાધુ. તેનો જન્મ સંવત ૧૭૬૦માં અને મરણ સંવત ૧૮૩૯માં થયું. વલ્લભ સંપ્રદાયમાં જુદી જુદી જાતના વિકાર થવા લાગ્યા ત્યારે તેના પ્રતિવાદરૂપે દિલ્હીમાં ચરણદાસે પોતાનો ચરણદાસ નામનો જુદો પંથ સ્થાપ્યો. તેનો પંથ મોટે ભાગે કબીરના જેવો છે. દારા શિકોહના વિચારની પણ તેના ઉપર અસર થઇ હતી. તેણે ભાગવત અને ગીતાનો તરજુમો તથા સ્વરોદય નામે ગ્રંથ રચ્યા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં