5 |
|
पुं. |
( પુરાણ ) કદ્રુપુત્ર નાગ સૂર્યના અશ્વના પૂંછડાને વળગીને તે કાળું જણાય એમ કરવાને કદ્રુએ પોતાના પુત્રો સર્પને આજ્ઞા આપી હતી કેમકે પોતાની બહેન વિનતાની જોડે એને એવી શરત થઈ હતી કે, જો અશ્વનું પૂંછડું ધોળું હોય તો હું તારી દાસી અને કાળું હોય તો તું મારી દાસી થાય. માતાની આ આજ્ઞા જે સર્પોએ માની નહિ, તેમને કદ્રુએ શાપ દીધો હતો કે તમે જનમેજયના સર્પસત્રમાં બળી મરશો.
|
8 |
|
पुं. |
( જ્યોતિષ ) ત, થ, દ, ધ, ન માંના ગમે તે અક્ષરથી શરૂ થતું નામ.
ઉપયોગ
ત, થ, દ, ધ, ન એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આદ્યે આવે તો તેનો સર્પ વર્ગ છે. – રાજવલ્લભ
|
9 |
|
पुं. |
નક્ષત્ર માંહેનો એક દેવતા.
ઉપયોગ
વસુત્વષ્ટા, ભવ, અજ, મિત્ર, સર્પ, અશ્વિનૌ, જલ, ધાતા અનેક ( એ નક્ષત્ર દેવતાઓ ) અયનોના આરંભમાં હોય છે. – પુરાતત્ત્વ
|
10 |
[ સં. ] |
पुं. |
નાગ; ભુજંગ; સાપ. સર્પની ઉત્પત્તિ સંબંધે ભાગવતમાં ઉલ્લેખ છે કે, બ્રહ્માએ પોતાના શરીરનો ક્રોધથી ત્યાગ કર્યો. તે શરીરમાંથી જે કેશો ખરી પડયા તે સર્પો થયા. બહ્માએ પોતાના તે શરીરનો ત્યાગ કરતી વેળા પગ વગેરે અવયવો લાંબા ટૂંકા કરીને સરકાવ્યા હતા તેથી જ તે શરીરથી ઉત્પન્ન થયેલા સર્પો કહેવાયા અને તેથી જ તે સર્પો અત્યંત વેગવાળા થયા. તેઓ વિસ્તારવાળા શરીરથી ઉત્પન્ન થયા હતા તેથી ફણાને લીધે વિશાળ ડોકવાળા થયા તેમ જ ક્રોધપૂર્વક શરીરનો ત્યાગ કર્યો હતો તેથી તેઓ ક્રૂર થયા. વિશેષ કરીને સર્પને એકાંતવાસ વધારે ગમે છે અને સ્વભાવે તે બીકણ છે. જો કચરાય કે છંછેડાય તો જ તે કરડે છે. જમીનનો સાપ પાણીમાં એકથી બે કલાક રહી શકે છે, જયારે જળસાપ જમીન ઉપર રહી શક્તો નથી. સર્પ લાંબા વખત સુધી એટલે કે બે ત્રણ વર્ષ સુધી ખોરાક વગર રહી શકે છે. અને ચારથી પાંચ કલાક હવા સિવાય પણ રહી શકે છે. સર્પ અને ભારતવાસી વચ્ચેનો સંબંધ અતિશય જૂનો છે. નાગપંચમીના તહેવારોની વિગતોને આઘી રાખીને પણ સાપની પૂજાનો ઉલ્લેખ આપણા દેશમા કોઈ અચંબો જગાડતો નથી. એ ઉલ્લેખમાં સાપનું ઝેર ભળતું નથી.ભોળાશંકરને ગળે સાપનું ઘરેણું ચળક્યું છે. બીજા દેવોની આસપાસ પણ સર્પ વીંટાયેલો છે; એટલે આપણે નાગને પૂજાનો અધિકારી ગણ્યો છે. ચાંદની રાતમાં નાગ એક ઘરેણાની જેમ ચમકે છે. નાગને સુગંધનો શોખ છે પારિજાતકનાં ફૂલો હેઠળથી એ ઘણીવાર જડી આવ્યો છે. આજના વૈજ્ઞાનિકો જણાવે છે કે, મદારીની મોરલી ઉપર ડોલતો નાગ મોરલીના સંગીતને કારણે ડોલતો નથી, પણ મદારીના મોંને કારણે એ ડોલે છે.એને શિકાર કરવો હોય ત્યારે સર્પ એના શિકાર ઉપર ત્રાટક માંડે છે અને પછી એ શિકાર ઉપર ચોટ મારે છે. પણ ત્રાટકને કારણે નાગનો શિકાર સ્તબ્ધ થઈ જાય છે. જો નાગને મારવામાં આવે તો નાગણી એનું વેર લેવા ઝેર સાચવે છે એમ મનાય છે. નાગને પવિત્ર જીવ તરીકે કેટલાક ઓળખે છે. ભારતીય જીવન સાથે નાગ સંકળાયેલો છે. સાપના લિસોટા પુરાણની કથાઓમાં છે. દેવો અવતાર લ્યે ત્યારે અવતારોના અજવાળામાં પણ નાગનું સ્થાન છે. હિંદુસ્તાનમાં લગભગ ૩૦૦ જાતના જમીનના સાપ થાય છે. જેમાંથી ૪૦ જાતના સાપ જ ઝેરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં જમીન ઉપરના મીઠા પાણી તથા સમુદ્રમાં રહેતા ૨૪ જાતના સર્પ નોંધાયા છે. આમાંથી ઝેરી સાપો માત્ર ૭ જાતના છે. આમાંથી બે પ્રકારના સાપ સમુદ્રમાં રહે છે, જ્યારે બાકીના પાંચ જાતના જમીન ઉપર વિહરનારા છે. આ સાપ આ પ્રમાણે છે: (૧) કચ્છનો સમુદ્ર સર્પ, (૨) દક્ષિણ ગુજરાત તથા ખંભાતના અખાતનો સમુદ્ર સર્પ, (૩) નાગ (૪) ફુસ્સા અને (૫) વાંસમાં રહેનારો લીલો સાપ. સમુદ્રના સાપની પૂંછડી પટ્ટી જેવી ચપટી અને માથાના ઉપલા ભાગ ઉપરનાં ભીંગડાં મોટાં હોય છે. કાળોતરા સાપની પૂંછડી ગોળ, પીઠ ઉપરના મધ્ય ભાગના ભીંગડાં શરીરનાં ભીંગડાં કરતાં મોટાં હોય છે. તેના નીચલા હોઠ ઉપર ફક્ત ચાર ભીંગડાં હોય છે. છેલ્લું ભીંગટું બીજા બધાં કરતાં મોટું હોય છે. નાગ અને કોરષ સાપોની પૂંછડી ગોળ હોય છે. ઉપલા હોઠનું ત્રીજું ભીંગટું મોટું અને આગળ નાસિકાના ભીંગડાંને તથા પાછળ આંખને લાગીને રહેલું હોય છે. પીઢવાઈ સાપની પૂંછડી ગોળ હોય છે મોઢાના ઉપલા ભાગની બાજુ ઉપર નસકોરાં અને આંખની વચ્ચે ખાડો હોય છે. ફુરસાની પૂંછડી ગોળ, માથા તથા શરીર ઉપરનાં ભીંગડાં એકસરખાં અને નાનાં હોય છે. પેટ ઉપરનાં ભીંગડાં પટ્ટી જેવાં લાંબાં હોય છે. ઉપરાંત દરેક વિષ સર્પના મુખમાં પોલા ઝેરી દાંત હોય છે. ઝેરી સાપ અને બીન ઝેરી સાપ ઓળખવાની ચાવી આ પ્રાણે છે:- ઝેરી સાપ: (૧) સમુદ્રનો સાપ બાજુએથી પાતળી પૂંછડી, (૨) જમીન ઉપરનો સાપ-ગોળ પૂંછડી અને પેટ ઉપરનાં ભીંગડાં લાંબી પટ્ટી જેવાં હોય છે. બીજા ઝેરી સાપ:- ગોળ પૂંછડી, પેટ ઉપરનાં ભીંગડાં લાંબી પટ્ટી જેવાં, ટૂંકી પટ્ટી જેવાં અથવા આખા શરીર ઉપર એકસરખાં ભીંગડાં હોય છે. તમામ સર્પોનું વિશિષ્ટ પ્રકારનું શારીરિક લક્ષણ તેઓના જડબાંના ઘાટ અને બાંધણીમાં છે. જો કોઈને બારીકાઈથી સર્પને ભક્ષ્ય ગળતો નિહાળવાની તક મળે તો તેને માલૂમ પડશે કે, તેમનાં જડબાં સ્વતંત્ર રીતે કામ કરવાની શક્તિ ધરાવે છે. જમણી બાજુનું ઉપલું નીચલું જડબું બંને પોતાના ભક્ષ્ય ઉપર ચપટ ભીડાય છે અને ડાબી બાજુનું ઉપલું નીચલું વધુ ને વધુ બટકું ભરવા આગળ ઘસતું રહે છે. આમ કરતાં કરતાં છેવટ પોતાના ભક્ષ્યના મસ્તકને પહોંચી વળી ગળવા માંડે છે. જડબાંના સ્નાયુઓ સર્પની પાંસળા પટ્ટીઓ સાથે રહી ભક્ષ્યને સંપૂર્પણરીતે ગળી જવામાં સર્પને મદદ કરે છે. આ બીનામાં નવીનતા એ છે કે, સર્પના નીચલા જડબાનું લાંબું હાડકું સ્થિતિસ્થાપક માંસપટ્ટીથી કે સ્નાયુ વડે જડેલું હોય છે જેથી પોતાની મેળે તે ઊંચું નીચું થઈ સ્વતંત્ર રીતે ઊઘડી બીડી શકે છે. નીચલા જડબાની ખૂબી તેની સ્વતંત્ર હલનચલન વૃત્તિમાં જ રહેલી છે. સર્પનું તાલકું તપાસતાં એવું દર્શાવાય છે કે, નીચલું જડબું ખોપરી સાથે જોડાયેલ છે. સર્પો સાધારણ રીતે ખોરાક ચાવી કે દાંત વડે દળી શકતા નથી. તેઓ ખોરાકને આખેઆખો ગળી જાય છે. આ કાર્યમાં તેને છૂટું ચોટાડેલું પહોળું ખુલતું જડબું અને ફૂલતી પાંસળીઓ મદદ કરે છે. ચાવવાની ક્રિયામાં મદદરૂપ થવામાં સર્પને તેના મોઢામાંથી પુષ્કળ છૂટતો થૂંક રસ અને લાળ મદદ કરે છે. આ લાળ ખોરાક મોંમાં દાખલ થતાં વેંત જ લાળ રસથી પલળી જાય છે. પ્રાણી માત્રમાં સર્પનો મોટામાં મોટો ભય કોઈ સેવતું હોય તો તે વાંદરાઓ છે. તે ઉપરથી માનવ જાતને પણ પોતાના વંશજો તરફથી વારસાગત આ ભય મળેલ છે. ઉંદરી સર્પ એટલે ઉંદર ગળનારો સર્પ મહાન જોરાવર હોય છે. કેટલીકવાર ૧૦ ફૂટ લાંબો હોય છે. ધામણ નામનો સર્પ જમીન ઉપર ઘણી જ ઝડપથી ચાલી શકે છે. આ સર્પને પાંસળીઓ ચાલનારો કહે છે. સર્પના પેટાળે આડી અવળી નસ અને કાળી ધોળી લીટીઓ એક બીજા ઉપરથી પસાર થતી જોવામાં આવે છે. દરના સર્પ અને જળસર્પ સિવાયના સર્પોને આખા શરીર ઉપર કાંચળી અને ચટાપટાવાળી ભાત હોય છે. ધામણ સર્પને અંકુશમાં લેવો એ પણ એક મુશ્કેલીભર્યું કાર્ય છે. પોતાને છેડનાર તરફ તે વિદ્યુતવેગે ઘસી આવી કેટલીકવાર જોશભેર ઊડી કૂદી પડે છે. જો કે તે ઝેરી હોતો નથી છતાં સખત ઘાવ કરવા શક્તિમાન બને છે. ઘણીવાર સખત જખમ કરે છે. ધામણનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે જેથી તેવા સ્થળોએ તે માલૂમ પડતો હોય છે. નાગના નાના (કણા) બચ્ચાંઓ પોતાની અણસમજુ અને બેજવાબદાર અવસ્થામાં ઊછળતા લોહીને લીધે બચપણથી જ માણસને જ્યારે ત્યારે કરડી ખાઈ જખમાવી બેસે છે. નાગનાં બચોલિયાંઓ પોતાના વડીલો, મોટા, પીઢ અને ગંભીર નાગ કરતાં વધારે ભયાનક અને હાનીકર્તા ગણાય છે. દરિયાઈ સાપ બધા ઝેરી તો છે જ પણ એ એક સારું છે કે, બધા ઝેરીલા કે ઝેર ફેલાવનારા નથી હોતા. સામાન્યરીતે સર્પો સ્વભાવે સુસ્ત અને શિથિલ હોય છે. ઉદાસ બની પડ્યા રહેતા હોય છે. એક સ્થાનેથી ખસી બીજે સ્થાને જવા બિલકુલ અનિચ્છા દર્શાવી પડ્યા રહે છે. તેઓ સૂર્યના સવારના કે સાંજના નમતા પ્રકાશમાં બેસી રહેવું પસંદ કરે છે. નાગનું ઘણું લાંબું શરીર, અવયવોની વલયો ન દેખાય તેવું લીસું હોય છે અને તેને ગળવાને માટે ખાસ ગોઠવણવાળું સાધન હોય છે. ખોપરી ખાસ કઠણ નથી હોતી; હાડકાંઓ ખાસ કરીને નીચલું જડબું સ્થિતિસ્થાપક નસોથી સંધાયેલ અને તેના માપ કરતાં વધારે મોટી વસ્તુઓને સમાવી શકે છે. તેના દાંતો નાના, શંકુ આકારના અને બે વખત વળેલાં હોય છે. તે ચાવવા માટે નથી વપરાતા; પરંતુ નાગ તેના ભોગને ક્રમે ક્રમે વધુ પકડતો જાય છે અને ગળી જાય છે. આ ક્રિયામાં તેના મુખમાંથી પુષ્કળ વહેતી લાળ ખાસ મદદ કરે છે. મોટા પશુઓને ઘણા ખરા નાગનો દંશ નુકશાનકર્તા નથી પરંતુ કોઈ મોટી ફેણો વડે કારમો દંશ દે છે. આ વિશાળ ફેણો સાથે ઝેરની નળીઓ સંકડાયેલી હોય છે અને તેમાંથી હળાહળ ઝેર દીધેલા દંશના છિદ્રમાં વહે છે. તેની ચામડી ઉપર ચાંઠાં હોય છે. તે ચામડી અમુક સમયને અંતરે કાંચળીરૂપે ઊતરી જાય છે અને આ પ્રમાણે તેની શરીરવૃદ્ધિ થાય છે. તેની જ્ઞાનતંતુસંસ્થા ઉત્તમ રીતે વ્યવસ્થિત હોય છે. તેની ઇંદ્રિયો તીવ્ર હોય છે અને તેઓની બુદ્ધિ અને કેળવવાની શક્તિ ઘણી હોય છે. આંખો મોટી અને ચળકતી તથા કાન બહિદ્વાર રહિત છતાં ઠીક સાંભળી શકે તેવા હોય છે. ઘણાખરા નાનો શિકાર ગોતવામાં અને અનુસરવામાં પોતાના તીક્ષ્ણ કાનોનો ઉપયોગ કરે છે. એ શિકાર તે મસ્તક અને ડોકના ઝડપી ટાંપથી પકડે છે અને ત્યારે શરીરનો પાછલો ભાગ અમુક ટેકા સાથે ચૂસ્તપણે વળગેલો રહે છે. તેની દ્વિશાખ જીભ સ્પર્શ માટે અત્યંત જલદ સાધન છે. અમુક તો ઊંચે ચડવામાં અને તરવામાં ખૂબ જ ચાલાક હોય છે. બધાં જીવતા પ્રાણીઓનું ભક્ષણ કરીને રહે છે અને છતાં લાંબા અપવાસ સહન કરી શકે છે. ગરમ વિષુવવૃત્તના પ્રદેશમાં નાગની સંખ્યા તેમ જ કદ, જાત અનેક છે અને જેમ જેમ ઉત્તરના ઠંડા પ્રદેશમાં જઈએ તેમ તેમ તેની સંખ્યા અને પ્રકાર ઘટતા જાય છે અને ઉનાળાની સમોષ્ણરેખાની લગભગ ૩૦ْ એ દેખાતા નથી. ઠંડા દેશમાં તેઓ જમીનના દરમાં તેમ જ ઝાળાઝાંખરાઓમાં ભરાઈ રહે છે. નાનો મોટો વર્ગ ઈંડાં મૂકીને પોતાનો વંશ વધારે છે. આ ઈંડાઓ થોડા, મોટા અને ચામડી જેવી ફોતરીથી ઢંકાયેલ હોય છે. નાના ઈંડાને છાણ, સડેલ લાકડા કે ગરમ માટીમાં કુદરતી ગરમીથી પકવવા માટે દાટે છે.
image
|