6 |
|
स्त्री. |
મનુષ્યના જીવનની અવસ્થા. માનવજીવનની દશ અવસ્થા માનેલી છે: ગર્ભવાસ, જન્મ, બાલ્ય, કૌમાર, પૌગંડ, યૌવન, સ્થાવિર્ય, જરા, પ્રાણરોધ અને નાશ.
|
7 |
|
स्त्री. |
( જ્યોતિષ ) મનુષ્યના જીવનમાં દરેક ગ્રહનો નિયત ભોગકાળ; જ્યોતિષપ્રસિદ્ધ ગ્રહોનો ભોગ્યકાલ; મનુષ્યના નસીબ ઉપર સારી માઠી અસર કરનારી ગ્રહાદિકની સ્થિતિ; જન્મકાળ ઉપરથી ગણિતથી જીવતરમાં ભોગવવાનું સ જાયેલું સુખદુ:ખ, તેના કારણભૂત ગ્રહો અને ગ્રહોના કાળવિભાગ. દશા કાઢવામાં કોઈ મનુષ્યનું પૂરૂં આયુષ્ય ૧૨૦ વર્ષનું માનવામાં આવે છે અને કોઈનું ૧૦૮ વર્ષનું માનવામાં આવે છે. પહેલી રીત પ્રમાણે નક્કી કરેલી દશા વિશોતરી અને બીજી રીત પ્રમાણે નક્કી કરેલી દશા અષ્ટોત્તરી કહેવાય છે. આયુના પૂરા વખતમાં પ્રત્યેક ગ્રહના ભોગ માટે વર્ષોની જુદી જુદી સંખ્યા ઠરાવેલી છે. જેમકે, અષ્ટોત્તરી રીત પ્રમાણે સૂર્યની દશા ૬ વર્ષ, ચંદ્રની ૧૫ વર્ષ, મંગળની ૮ વર્ષ, બુધની ૧૭ વર્ષ, શનિની ૧૦ વર્ષ, બૃહસ્પતિની ૧૯ વર્ષ, રાહુની ૧૨ વર્ષ અને શુક્રની ૨૧ વર્ષ માની છે. દશા જન્મ વખતના નક્ષત્ર પ્રમાણે માનવામાં આવે છે. જેમકે, જન્મ કૃત્તિકા, રોહિણી કે મૃગશિર નક્ષત્રમાં હોય તો સૂર્યની દશા હોય; આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય કે અશ્લેષા નક્ષત્રમાં હોય તો ચંદ્રની દશા હોય; મઘા, પૂર્વાફાલ્ગુની કે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં હોય તો મંગળની દશા; હસ્ત, ચિત્રા, સ્વાતી કે વિશાખામાં હોય તો બુધની દશા; અનુરાધા, જયેષ્ઠા કે મૂલ નક્ષત્રમાં હોય તો શનિની દશા; પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત કે શ્રવણ નક્ષત્રમાં હોય તો બૃહસ્પતિની દશા; ધનિષ્ઠા, શતભિષા કે પૂર્વાભાદ્રપદમાં હોય તો રાહુની દશા; ઉત્તરાભાદ્રપદમાં હોય તો રાહુની દશા; ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની કે ભરણી નક્ષત્રમાં હોય તો શુક્રની દશા હોય. પ્રત્યેક ગ્રહની દશાનું ફળ જુદું જુદું છે. જેમકે, સૂર્યની દશામાં ચિત્તનો ઉદ્વેગ, ધનહાનિ, કલેશ, વિદેશગમન, બંધન, રાજપીડા વગેરે. ચંદ્રની દશામાં ઐશ્વર્ય, રાજસન્માન, રત્ન, વાહન વગેરેની પ્રાપ્તિ. પ્રત્યેક ગ્રહના નિયત ભોગકાળ એટલે દશાની અંદર પણ એક એક ગ્રહનો ભોગકાળ નક્કી કરેલો છે, જેને અંતર્દશા કહે છે. જેમકે, સૂર્યની દશા ૬ વર્ષની છે. આ ૬ વર્ષોમાં સૂર્યની પોતાની અંતર્દશા ૪ માસની, ચંદ્રની ૧૦ માસની, મંગળની ૫ માસની, બુધની ૧૧ માસ ૨૦ દિવસની, શનિની ૬ માસ ૨૦ દિવસની, બૃહસ્પતિની ૧ વર્ષ ૨૦ દિવસની, રાહુની ૮ માસની અને શુક્રની ૧ વર્ષ ૨ માસની હોય છે. આ અંતર્દશાઓનું ફળ પણ જુદું જુદું છે. જેમકે, સૂર્યની દશામાં સૂર્યની અંતર્દશાનું ફળ રાજદંડ, મનનો તાપ, વિદેશગમન વગેરે. સૂર્યની દશામાં ચંદ્રની અંતર્દશાનું ફળ શત્રુનાશ, રોગશાંતિ, ધનલાભ વગેરે. ઉપરમાં જે હિસાબ બતાવાયો છે તે નાક્ષત્રિકી દશાનો છે, પણ યોગિની, વાર્ષિકી, લાગ્નિકી, મુકુંદા, પતાકી, હરગૌરી ઇત્યાદિ બીજી દશાઓ પણ છે. પણ કલિયુગમાં નાક્ષત્રિકી દશા પ્રધાન ગણાય છે.
|